Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમની ટોપી ન પહેરનારા મોદી આજે પહેલીવાર મસ્જિદમાં જશે, જાણો આ ઐતિહાસિક ઈમારત Sidi Sayeedની જાળી વિશે

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (10:59 IST)
જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે ભારતના પ્રવાસ પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતના અમદાવાદમાં જશે.  પોતાના બે દિવસીય પ્રકાસ પર આજે શિંજો અહીની જાણીતી સિદ્દી સૈયદની મસ્જિદમાં જશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યા હાજર રહેશે. 
 
મોદી પહેલીવાર જશે મસ્જિદ 
 
નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા. આ પહેલા તેઓ લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. પણ આવુ પહેલીવાર હશે જ્યાર પીએમ મોદી દેશની કોઈ મસ્જિદમાં જશે. 
 
દુબઈમાં ગયા હતા મસ્જિદ 
 
પીએમ મોદી 2015માં જ્યારે યૂએઈના પ્રવાસ પર ગયા તો ત્યા તેઓ અબુ ધાબીની જાણીતી જાયદ મસ્જિદ પણ પહોંચ્યા. મસ્જિદમાં પીએમ મોદી અબુ ધાબીના કિંગ સાથે ફર્યા હતા. મોદીની તે તસ્વીર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી. 
 
આ છે સિદ્દી સૈયદ મસ્જિદની વિશેષતા 
 
અમદાવાદની જાણીતી આ મસ્જિદને સિદ્દી સૈયદની જાળી ના નામે ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્કાશી કામ માટે જાણીતી છે.  ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ 'જાલી પેડ' (ઝાડ) આખી દુનિયામાં જાણીતુ છે. મસ્જિદની ઈમાએરત પીળા પત્થરોથી બને છે જે ઈંડો-ઈસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે. 
 
અંગ્રેજોની ઓફિસ હતી આ મસ્જિદ 
 
હાલ આ મસ્જિદ દુનિયાભરથી આવનારા પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. પણ બ્રિટિશ સમયમાં તેનો ઉપયોગ સરકારી ઓફિસના રૂપમાં કરવામાં આવ્યો હતો. 
 
મોદી બનશે ગાઈડ 
 
પીએમ મોદી પહેલીવાર દેશની કોઈ મસ્જિદમાં જવા ઉપરાંત તેઓ શિંજો આબે સાથ સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે તો એક ગાઈડની ભૂમિકા ભજવશે.  એવુ કહેવાય છે કે મોદી પોતે શિંજો આબેને આ મસ્જિદની વિશેષતા વિશે બતાવશે. 
 
રાજ્યની ઐતિહાસિક વિરાસત પર પ્રેજેંટેશન 
 
આ મસ્જિદની ખાસ વાત એ છેકે સાંજના સમયે જ્યારે ઢળતા સૂરજની કિરણો મસ્જિદની જાળીમાંથી નીકળે છે તો ત્યારે તે દ્રશ્ય અદ્દભૂત હોય છે. બંને નેતાઓને રાજ્યની ઐતિહાસિક વિરાસત પર એક પ્રેજેંટેશન પણ બતાવવામાં આવશે. 
 
આજે સાંજે 6.15 વાગ્યે બંને દેશોના નેતા સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે. ત્યારબાદ ગુરૂવારે અમદાવાદ-દુબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનનુ ભૂમિ પૂજન કરવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments