Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ જેનું ઉદ્ધાટન કર્યું હતું તે શિવાજીની મૂર્તિ આઠ મહિનાની અંદર જ તૂટી પડી

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (13:49 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ મહિના પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં જે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું એ તૂટી પડતા વિવાદ સર્જાયો છે.
 
4 ડિસેમ્બર 2023ના રોજ ‘નેવી ડે’ના અવસરે નરેન્દ્ર મોદીએ આ મૂર્તિનું લોકાર્પણ કર્યું હતું.
 
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું કે ભારતીય નેવીએ આ પ્રતિમા બનાવી હતી. પવનના કારણે તે પડી ગઈ. તેમણે વધુમાં જણાવ્યું કે શક્ય તેટલી વહેલી તકે નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
 
નેવી ડે નિમિત્તે 'બહાદુરીને સલામ'ના પ્રતિક તરીકે આ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિ તૂટી પડવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
 
ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ધારાસભ્ય વૈભવ નાઈકે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.
 
તેમણે આ ઘટનાની તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
 
શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે મૂર્તિ પડી જવાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
 
જયંત પાટીલે જણાવ્યું કે, "આ ઘટના ખૂબ જ ગંભીર છે. મહારાજની મૂર્તિ સ્થાપિત કરતી વખતે સાવચેતી રાખવામાં આવી ન હતી. આ સરકાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે જ મૂર્તિ સ્થાપિત કરવા માંગતી 
 
હતી."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments