Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી પર મુંબઈમાં ધારા 144 લાગૂ, પંડાલોમાં ભક્તોની એંટ્રી પર રોક

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (22:39 IST)
કોરોના વાયરસની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. આ દરમિયાન તહેવારોની ઋતુ પણ શરૂ થવાની છે. આવામાં કોરોનાથી બચવુ મુશ્કેલ બની શકે છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર મુંબઈમાં 10થી 19 સપ્ટેમ્બરની વચ્ચે સીઆરપીસીની ધારા 144 લાગૂ કરવામાં આવી છે.  ગુરૂવારે રજુ આદેશ મુજબ તહેવાર દરમિયાન આખા શહેરમાં પાંચ કે વધુ લોકોના એકત્ર થવા પર રોક રહેશે. 
 
ઈંડિયા ટુડેની રિપોર્ટ મુજબ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તોને ભગવાનના મંડપમાં જવાની મંજૂરી નહી મળે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશજીના સ્ટેજ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ સાથે, એક આદેશ પણ રજુ કરવામાં આવ્યો છે કે મુંબઈમાં કોઈ મોટી સભાઓનુ આયોજન નહીં થાય.
 
રાજ્યના ગૃહ વિભાગ વતી કહેવામાં આવ્યું હતું કે પંડાલમાંથી માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી આપવામાં આવશે. અગાઉ, ગૃહ વિભાગે એક પરિપત્રમાં કહ્યું હતું કે તહેવાર દરમિયાન સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નવા પરિપત્રમાં જણાવાયું છે કે લોકોને ગણેશ પંડાલોમાં આવવા દેવામાં આવશે નહીં.
 
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના 530 નવા કેસ સામે આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર એસ ચૈતન્ય તરફથી રજુ આદેશમાં ગૃહ વિભાગ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશોનો હવાલો આપવામાં આવ્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments