Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા સંઘ પ્રમુખ મોહન ભાગવત

Webdunia
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:20 IST)
- તૃણમૂલ કોંગ્રેસે  મિથુનને 2014 માં રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા
સંઘના વડા મોહન ભાગવત મંગળવારે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને તેમના મુંબઇ સ્થિત ઘરે મળ્યા હતા. બંગાળમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોવાથી રાજકીય અટકળો તીવ્ર બની છે. મિથુનને 2014 માં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. જો કે, મિથુને બાદમાં તબિયત ખરાબ હોવાને કારણે 2016 માં રાજીનામું આપ્યું હતું.
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ મિથુન ઓક્ટોબર 2019માં નાગપુર ગયા હતા. આ દરમિયાન તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી અને તેમને ઘરે આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ.  આ દરમિયાન પણ મિથુનના ભાજપામાં આવવાની અટકળો હતી. 
 
ભાજપા આપી શકે છે મિથુનને ટિકિટ 
 
રાજનીતિ વિશેષજ્ઞોનુ માનીએ તો મિથુનની બંગાળમાં ખૂબ લોકપ્રિયતા છે. જેનો ફાયદો ઉઠાવતા ભાજપા તેમને ઉમેદવાર બનાવી શકે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ ભાજપાના સ્ટાર પ્રચારક પણ બની શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments