rashifal-2026

પહેલગામ આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથનુ પહેલુ નિવેદન, બોલ્યા - વળતો જવાબ આપીશુ..

Webdunia
બુધવાર, 23 એપ્રિલ 2025 (18:05 IST)
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું પહેલું નિવેદન બહાર આવ્યું છે. રાજનાથ સિંહે કહ્યું છે કે આ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.
 
સરકાર દરેક જરૂરી પગલા ઉઠાવશે - રાજનાથ સિંહ 
દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે અમે અનેક નિર્દોષના લોકોના જીવ ગુમાવ્યા છે. હુ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ.  આતંકવાદને લઈને ભારતની જીરો ટોલરેંસની  નીતિ છે.  હુ દેશવાસીઓને આશ્વાસન આપવા માંગુ છુ કે સરકાર દરેક જરૂરી પગલા ઉઠાવશે.   આ આતંકવાદી હુમલાના ગુનેગારોની સાથે, તેની પાછળ છુપાયેલા લોકોને પણ પકડવામાં આવશે. હું દેશને ખાતરી આપવા માંગુ છું કે એક મજબૂત અને સ્પષ્ટ જવાબ આપવામાં આવશે." રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે તેનું પરિણામ ટૂંક સમયમાં જોવા મળશે.
 
વિશેષ ધર્મને નિશાન બનાવવામાં આવ્યા - રાજનાથ સિંહ  
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ રૂપે કહ્યુ છે કે પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ રીતે હુમલો કરીને વિશેષ ધર્મને નિશાન બનાવાયા છે. રાજનાથ સિંહે કહ્યુ કે હુમલામાં અમે અનેક નિર્દોષ નાગરિકોને ગુમાવ્યા છે. આ ઘોર અમાનવીય કૃત્યએ આપણને બધાને ઊંડા શોકમાં નાખ્યા છે   સૌથી પહેલા એ બધા પરિવારો પ્રત્યે મારી ઉંડી સંવેદના વ્યક્ત કરુ છુ. જેણે અમારા પ્રિયજનોને ગુમાવ્યા છે.  આ દુખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે હુ ઈશ્વરને પ્રાર્થના કરુ છુ.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

આગળનો લેખ
Show comments