Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raja pateria arrested- 'નરેન્દ્ર મોદીની હત્યા'ના નિવેદન પર કૉંગ્રેસ નેતા રાજા પટેરિયાની અટકાયત

Webdunia
મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (09:45 IST)
મધ્યપ્રદેશના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાજા પટેરિયાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આવેલા એક વિવાદિત નિવેદન બાદ વિવાદ થયો છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, પન્ના જિલ્લાના પવાઈ તાલુકામાં એક બેઠકમાં કાર્યકરોને સંબોધન કરતા તેમણે કથિત રીતે 'નરેન્દ્ર મોદીની હત્યા'ની વાત કરી હતી.
 
કૉંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ થયા બાદ મંગળવારે સવારે તેમના ઘરેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. પટેરિયાએ દાવો કર્યો હતો કે તેમની વાતને ખોટી રીતે લેવાઈ છે. કૉંગ્રેસ પાર્ટીએ નેતાને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.
 
તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ કહેતા હતા કે "મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વિભાજન કરશે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓનું ભાવિ જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હશે તો મોદીની હત્યા માટે તૈયાર રહો. હત્યા એટલે કે હરાવાનું કામ. (તેમને હરાવવાનું કામ)."
 
આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ કૉંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે.
 
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, "ભારત જોડો યાત્રા કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોનાં હૃદયમાં વસે છે, તેઓ સમગ્ર દેશનાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. કૉંગ્રેસ મેદાનમાં તેમની સાથે મુકાબલો કરી શકતી નથી, એટલે મોદીની હત્યાની વાત કરે છે."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments