Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ સમાપ્ત, કોર્ટની સજા બાદ લેવાયો નિર્ણય

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2023 (14:44 IST)
Rahul Gandhi Parliament Membership: માનહાનિ કેસમાં સૂરત કોર્ટ દ્વારા સજા સંભળાવ્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને બીજો ઝટકો લાગ્યો. તેમની 
 
સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. જણાવીએ કે એક કોર્ટએ " મોદી સરનેમ"2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં, તેમને ગુરુવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોકી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે. 
 
કોર્ટએ સજા સંભળાવ્યા પછીથી જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ ખતરામાં આવી ગઈ હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલ વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી તે જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. 
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
 
Rahul Gandhi Parliament Membership: માનહાનિ કેસમાં સૂરત કોર્ટ દ્વારા સજા સંભળાવ્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને બીજો ઝટકો લાગ્યો. તેમની 
સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. જણાવીએ કે એક કોર્ટએ " મોદી સરનેમ"2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં, તેમને ગુરુવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોકી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે. 
 
કોર્ટએ સજા સંભળાવ્યા પછીથી જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ ખતરામાં આવી ગઈ હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલ વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી તે જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. 
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

આગળનો લેખ
Show comments