Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ સમાપ્ત, કોર્ટની સજા બાદ લેવાયો નિર્ણય

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2023 (14:44 IST)
Rahul Gandhi Parliament Membership: માનહાનિ કેસમાં સૂરત કોર્ટ દ્વારા સજા સંભળાવ્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને બીજો ઝટકો લાગ્યો. તેમની 
 
સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. જણાવીએ કે એક કોર્ટએ " મોદી સરનેમ"2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં, તેમને ગુરુવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોકી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે. 
 
કોર્ટએ સજા સંભળાવ્યા પછીથી જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ ખતરામાં આવી ગઈ હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલ વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી તે જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. 
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
 
Rahul Gandhi Parliament Membership: માનહાનિ કેસમાં સૂરત કોર્ટ દ્વારા સજા સંભળાવ્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને બીજો ઝટકો લાગ્યો. તેમની 
સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. જણાવીએ કે એક કોર્ટએ " મોદી સરનેમ"2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં, તેમને ગુરુવારે બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાને 30 દિવસ માટે રોકી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ તેના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે. 
 
કોર્ટએ સજા સંભળાવ્યા પછીથી જ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ ખતરામાં આવી ગઈ હતી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, બે વર્ષ કે તેથી વધુ કેદની સજા પામેલ વ્યક્તિને 'દોષિત થવાની તારીખથી' ગેરલાયક ઠેરવવામાં આવશે અને સજા પૂર્ણ થયા પછી છ વર્ષ સુધી તે જનપ્રતિનિધિ બનવા માટે અયોગ્ય રહેશે. 
 
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
 
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

આગળનો લેખ
Show comments