Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાઅધિવેશનમાં બોલ્યા રાહુલ - દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે

Webdunia
શનિવાર, 17 માર્ચ 2018 (11:50 IST)
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પાર્ટીના મહાધિવેશનને સંબોધિત કર્યુ. પોતાના ભાષણમાં રાહુલે મોદી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે.  લોકોને વહેંચવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.  રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે દેશમાં એકબીજાને પરસ્પર લડાવવામાં આવી રહ્યા છે. પાર્ટીના અધિવેશનમાં એક અધ્યક્ષના રૂપમાં રાહુલનું આ પ્રથમ ભાષણ હતુ. 
 
રાહુલે કહ્યુ કે તે આ અધિવેશનમાં બે ભાષણ આપશે. તેથી શરૂઆતના ભાષણમાં તેઓ ઓછુ બોલશે. તેમણે કહ્યુ કે પોતાના સમાપન ભાષણમાં તેઓ લોકોની વાત સાંભળીને પોતાની વાત મુકશે. 
 
તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દેશને જોડવાની વાત કરી છે. હાથના નિશાનની તાકતથી જ દેશને આગળ વધારી શકાય છે. રાહુલે કહ્યુ કે પાર્ટી નવી રીતે આગળ વધશે. યુવા લોકો પાર્ટીને ચલાવશે પણ સીનિયર નેતાઓની સાથે હુ લઈને જ પાર્ટી આગળ વધશે. 
 
રાહુલે કહ્યુ કે દેશને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ રસ્તો બતાવી શકે છે. જ્યારે ખેડૂત મજૂર ગરીબ લોકો મોદી સરકાર તરફ જુએ છે તો તેમને રસ્તો નથી દેખાતો. બીજેપીવાળા ગુસ્સાનો પ્રયોગ કરે છે. પણ અમારી પાર્ટી પ્રેમથી આગળ વધી રહી છે. તેમણે કહ્યુ કે આ દેશ દરેકનો છે. દરેક ધર્મનો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments