Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pulwama Terror Attack LIVE Updates: CRPFના 40 જવાન શહીદ, CCSની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટો નિર્ણય થવાની શક્યતા

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (10:43 IST)
- અમે સીસીએસના બધા મુદ્દાને બતાવી નથી શકતા. વિદેશ મંત્રાલય બધા કૂટનીતિક પગલા ઉઠાવશે. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવામાં આવ્યો. પાકિસ્તાનને દુનિયા જુદો પાડશે અને અમે આ કામને કરીશુ. પુલવામાં આતંકી હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે - અરુણ જેટલી 
 
- શહીદોના મૃત શરીર લાવવા માટે વિમાન મોકલાવ્યુ છે. સીસીએસમાં પુલવામાં હુમલા પર ગંભીર ચર્ચા થઈ - અરુણ જેટલી 
- સીસીએસની બેઠકમાં બે મિનિટનુ મૌન રાખવામાં આવ્યુ - અરુણ જેટલી 
- નાણાકીય મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ મીડિયા સાથે વાત કરી રહી છે. 
- ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગરના રવાના થઈ ચુક્યા છે. તેઓ એ સ્થાન પર પણ જશે જ્યા આતંકી હુમલો થયો હતો. એનએસજી અને એનઆઈની ટીમ પણ શ્રીનગર જઈ રહી છે. 
 
- થોડી વારમાં દેશની રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ નિવેદન આપવાની છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી પણ મીડિયા સાથે વાત કરીશુ. 
 
-સુરક્ષા મામલા પર કૈબિનેટ કમિટીની બેઠક ખતમ થઈ ગઈ છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ જલ્દી જ શ્રીનગર માટે રવાના થશે. 

-ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ CRPFના કાફલા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમા 40થી વધુ જવાન શહીદ થઈ ગયા છે. 
 
- ઈંડિયન   એયરફોર્સની સી-17 વિમાન શહીદ જવાનોના પાર્થિવ શરીરને લાવવા માટે શ્રીનગર  જઈ રહ્યુ છે. 
- રૂસના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. તેમણે પુલવામાં આતંકી હુમલા પર પોતાની ઊંડી સંવેદના પ્રકટ કરી છે. આ સાથે જ તેમણે આ વીબત્સ આતંકી હુમલાની નિંદા પણ કરી છે.  પુતિને કહ્યુ કે આ હુમલામાં સામેલ લોકોને દંડિત કરવા જોઈએ. 
<

Moga: Family of CRPF personnel Jaimal Singh in mourning. Singh lost his life in #PulwamaTerrorAttack yesterday. #Punjab pic.twitter.com/E8cYtx7s41

— ANI (@ANI) February 15, 2019 >
-સુરક્ષા મામલાની કૈબિનેટ કમિટીની બેઠક પ્રધાનમંત્રી રહેઠાણ, 7 લોક કલ્યાણ માર્ગ પર ચાલી રહી છે. 
 
- પુલવામા આતંકી હુમલા પછી પ્રધાનમંત્રી મોદીની મધ્યપ્રદેશના ઈટારસીમાં થનારી રેલીને રદ્દ કરવામાં આવી છે. 
- પુલવામાં આતંકી હુમલા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજના બધા રાજનીતિક કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 
- દિલ્હીના પીએમ રહેઠાણ પર CCS ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણાકીય મંત્રી અરુણ જેટલી સહિત ત્રણ સેનાના પ્રમુખનો પણ સમાવેશ છે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે. 
<

CRPF Personnel Ratan Thakur's (who lost his life in #PulwamaTerrorAttack ) father in Bhagalpur: I have sacrificed a son in Mother India's service, I will send my other son as well to fight, ready to give him up for Mother India, but Pakistan must be given a befitting reply.#Bihar pic.twitter.com/rI6cM38Agh

— ANI (@ANI) February 15, 2019 >
-  પૂર્વ થલસેના અધ્યક્ષ જનરલ વિક્રમ સિંહે કહ્યુ છેકે પુલવામાં આતંકી હુમલો આતંકવાદીઓની રણનીતિમાં ફેરફારની તરફ ઈશારો કરે છે. આઈઈડીનો ઉપયોગ ખૂબ લાંબા સમય પછી થયો છે. આઈઈડીનો ઉપયોગ પહેલા થતો હતો. જ્યારે 2001-02 દરમિયાન ત્યા હતો ત્યારે આ સામાન્ય વાત હતી પણ પછી તેઓ દૂરથી ગોળીઓ ચલાવીને હુમલો કરવા લાગ્યા હતા. 
 
- પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન રતન ઠાકુરના પિતાએ કહ્યુ કે મે મારા પુત્રની માતૃભૂમિની સેવામાં કુરબાની આપી છે.  હુ મારા બીજા પુત્રને પણ લડ્વા માટે મોકલીશ. માતૃભૂમિ માટે જીવ આપવા તૈયાર છે પણ પાકિસ્તાનને આનો કરારો જવાબ આપવાની જરૂર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

આગળનો લેખ
Show comments