Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુલવામા હુમલા બાદ ભભૂકતો જનાક્રોશ આણંદમાં મુખ્ય રોડ પર પાકિસ્તાનનો ધ્વજ દોર્યો

Webdunia
શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (14:58 IST)
જમ્મુ કાશ્મીરનાં પુલાવામા ખાતે ગુરૂવારે આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થવાની જઘન્ય ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે. 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં નારા સાથે પ્રચંડ જનાક્રોશ ભભૂક્યો હતો. ઠેર ઠેર આતંકવાદનાં પુતળાનાં દહન કરાયા હતા અને નનામી પણ કઢાઇ હતી અને સાથે શહીદોને શ્રધ્ધાંજલી પણ અર્પણ કરવામાં આવી હતી. આણંદમાં પણ લોકોનો રોષ ભભૂકતા વિદ્યાનગર રોડ પર પાકિસ્તાનનો ઝંડો રસ્તા પર દોરીને વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે આણંદનાં વિદ્યાનગર મુખ્ય રોડ પર પાકિસ્તાનનો વિરોધ કરાયો હતો. તેમણે રસ્તા પર પાકા રંગોથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી 'હંમેશા પાકિસ્તાન અમારા જૂતાં નીચે રહેશે'નો સંદેશ અપાયો હતો. પુલવામાંમા આતંકવાદી હુમલામા શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રધ્ધાજલી આપવા આ રીતે વિરોધ કરાયો.વિરોધ નોંધાવવા આવેલા લોકોમાં ભારે રોષ છલકાતો હતો. ત્યાં સૂત્રોચ્ચાર 'વંદે માતરમ' અને 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં સૂત્રોચ્ચાર પણ થઇ રહ્યાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments