Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રપતિ કોવિંદનું આજે ગુજરાત, આર્થિક રીતે નબળા વર્ગને ઘરનું વિતરણ કરશે, જાણો શેડ્યૂલ

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (09:13 IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાત પ્રવાસે રવાના થઈ રહ્યા છે. કોવિંદ તેમની મુલાકાતના પ્રથમ દિવસે રાજધાની ગાંધીનગરમાં રાજભવન ખાતે રોકાશે અને આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને અન્ય મહાનુભાવો માટે હાઈ ટી મિટિંગનું પણ આયોજન કરશે.
28-29 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે
 
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકત કરશે
 
રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબરે ભાવનગરના પ્રવાસે જશે
 
સવારે મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે
 
PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી
 
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જાણીતા રામ કથાકાર મોરારી બાપુના મૂળ ગામ તલગાજરડાની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ ભાવનગર જશે અને ત્યાં આર્થિક રીતે નબળા વર્ગના એક હજારથી વધુ પરિવારોને મકાનોનું વિતરણ કરશે. તે 30 ઓક્ટોબરે પરત ફરશે. રાષ્ટ્રપતિ કોવિંદ 29 ઓક્ટોબરના રોજ ભાવનગર જિલ્લામાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસ યોજના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, એમ તેમના કાર્યાલય અનુસાર.
 
અહેવાલો અનુસાર રાષ્ટ્રપતિ બાદમાં અમદાવાદ એરપોર્ટથી ખાનગી હેલિકોપ્ટરમાં મહુવા જવા રવાના થશે. આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ સવારે 11:45 વાગ્યે હેલિપેડ પર રાષ્ટ્રપતિને આવકારશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ કોવિંદ ત્યારબાદ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે મોરારી બાબુના આશ્રમ શ્રી ચિત્રકૂટધામની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments