Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુલી ગયા કેદારનાથના દ્વાર, સૌ પહેલા PM મોદીએ કર્યા દર્શન

Webdunia
બુધવાર, 3 મે 2017 (10:52 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. આજે જ કેદારનાથના કપાટ ખુલ્યા અને દર્શન કરનારા મોદી પહેલા વ્યક્તિ બન્યા. પીએમના દેહરાદૂન પહોંચતા પ્રદેશના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, રાજ્યપાલ કેકે પોલ સહિત અનેક કેન્દ્રીય મંત્રી ધારાસભ્ય સાંસદે જૉલી ગ્રાંટ એયરપોર્ટ પર તેમનુ સ્વાગત કર્યુ.  8.50 પર મંદિરના કપાટ ખુલવા દરમિયાન ત્યા હાજર બીજા શ્રદ્ધાળુઓને દર્શનમાં કોઈ પરેશાની ન થાય. સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અને સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજ પણ મંગળવારે કેદારનાથ પહોંચ્યા અને પીએમના પ્રવાસ પર બધી વ્યવસ્થાઓની તપાસ કરી. 
 
આ ઐતિહાસિક અવસર પર મંદિરને દસ કુંતલ ગલગોટાના ફૂલથી સજાવવામાં આવ્યું છે. આ વચ્ચે સાંજે ઉત્સવ ડોલી પણ કેદારનાથ પહોંચી ગયા છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક રીતિ-રિવાજોની સાથે મંદિરના કપાટ આજે સવારે 8.50 કલાકે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવનાર છે.
 
પીએમના આગમનને પગલે કેદારનાથ ધામ લશ્કરી છાવણીમા ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન માટે ખાસ સુરક્ષાનો બંદોબસ્ત કરાયો છે. અહી પોલીસ અને અર્ધસૈનિક દળના 450 જેટલા જવાનો તૈનાત કરાયા છે. વડાપ્રધાન માટે વિશેષ પૂજાનું આયોજન પણ કરાયું છે.
 
પીએમનું કેદારનાથ શિડ્યુલ
વડાપ્રધાન કેદારનાથપ પહોંચીને 20 મિનીટના આરામ બાદ અંદાજે એક કલાક મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને ત્યાર બાદ 10.10 કલાકે હરિદ્વાર પતંજલી યોગપીઠ જવા રવાના થશે. ત્યાં તેઓ એક કલાક રોકાશે, જેમાં પતંજલિના હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments