Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીનો રાહુલને સવાલ - કોંગ્રેસ કહે છે કે તે મુસ્લિમોની પાર્ટી છે, પણ શુ તેમા મુસ્લિમ મહિલાઓ માટે સ્થાન છે ?

Webdunia
શનિવાર, 14 જુલાઈ 2018 (17:59 IST)
. નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા. અહીથી તેઓ સૌ પહેલા આઝમગઢ ગયા. આજમગઢમાં તેમણે 354 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો. મોદીએ ભાષણમાં બસપા સપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો. ત્રણ તલાકનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે તેમનો કાંડો ત્રણ તલાકે ખોલી નાખ્યો છે.  કેન્દ્ર સાકાર મહિલાઓના વિકાસ માટે અને આ પાર્ટીઓ તેમા સંકટ નાખવાનુ કામ કરે છે. દુનિયાના ઈલ્સામિક રાષ્ટ્રોમાં પણ ત્રણ તલાક પર રોક લાગી છે. 
 
તેમણે કહ્યુ - મે છાપામાં વાચ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમાન નામદારે કહ્યુ હતુ કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. મનમોહન સિંહે પણ કહ્યુ હતુ કે દેશના સંસાધનો પર પહેલો હક મુસ્લિમોને છે. હુ નામદારને પુછુ છુ કે તેમની પાર્ટીમાં મુસ્લિમ મહિલાઓ માટે કોઈ સ્થાન છે? મોદીએ કહ્યું કે ટ્રિપલ તલાકના નામ પર મોદીનો વિરોધ કરનારી પાર્ટીઓના નેતાઓને મુસ્લિમ મહિલાઓને મળી પૂછીને આવો અને પછી સંસદમાં આવીને તમારી વાત કહેજો.’ મોદીએ કહ્યું કે આ પાર્ટીઓ ઇચ્છે છે કે ટ્રિપલ તલાક થતા રહ્યા અને મુસ્લિમ બહેન-દીકરીઓના જીવન નરક બનતા રહ્યાં.
 
પોતાના ભાષણ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પોતાના સ્વાર્થ માટે તમામ પરિવારવાદી પાર્ટીઓ પોતાના વિસ્તારના વિકાસને રોકવા પર તુલી છે. તેને ખબર છે કે જો ખેડૂત, ગરીબ, દલિત, વંચિત અને પછાત સશક્ત થઇ ગયા તો તેમની દુકાન બંધ થવામાં મોડું થશે નહીં. જે લોકો જામીન પર છે તે હવે યુપીનો વિકાસ રોકવા માંગે છે. મોદીએ કહ્યું કે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે હંમેશા જ દેશના સર્વોપરિ રાખ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments