Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વચ્છ ભારત મિશન 2.0 નો પ્રારંભ - PM મોદીએ લોન્ચ કરી બે મોટી યોજનાઓ, આખો દેશ થશે 'કચરા મુક્ત'

Webdunia
શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (13:10 IST)
PM Modi launch 2nd Phase Of Swachh Bharat Mission Urban : એસબીએમ-યુનો પ્રથમ તબક્કામાં શૌચાલયોનુ નિર્માણ અને શહેરોને ખુલ્લામાં શૌચમુક્ત (ODF) બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામં આવ્યુ છે, પરંતુ તેના બીજા તબક્કામાં સુવિધાઓના સુધારા પર, તમામ લૈંડફિલને ફરી પ્રાપ્ત કરવા અને નગરપાલિકાના ઠોસ કચરાની પ્રક્રિયાને વર્તમાન 70 ટકાથી ઘટાડીને 100 ટકા કરવાનુ લક્ષ્ય પણ બનાવ્યુ છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ'સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0' અને 'અમૃત 2.0' લોન્ચ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, બાબાસાહેબ શહેરી વિકાસમાં અસમાનતાને દૂર કરવા માટે એક મહાન માધ્યમ તરીકે માનતા હતા. વધુ સારા જીવનની આકાંક્ષામાં ગામડાઓમાંથી ઘણા લોકો શહેરોમાં આવે છે. ગામડાઓમાં પણ તેમનું જીવન ધોરણ મુશ્કેલ સ્થિતિમાં રહે છે. આ તેમના પર બેવડા ઝટકા સમાન છે. એક, ઘરથી દૂર, અને ઉપરથી આવી પરિસ્થિતિમાં રહેવું. આ પરિસ્થિતિ બદલવા પર, બાબાસાહેબે આ અસમાનતા દૂર કરવા પર ખૂબ ભાર મૂક્યો હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગળનો તબક્કો પણ બાબાસાહેબના સપના પૂરા કરવાની દિશામાં મહત્વનું પગલું છે.
 
સ્વચ્છ ભારત મિશન-અર્બન મિશન અને અટલ મિશન ફોર રીન્યુઅલ એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) નો બીજો તબક્કો દેશના તમામ શહેરોને 'વેસ્ટ ફ્રી' અને 'વોટર સેફ' બનાવવાની આકાંક્ષાને સાકાર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન-શહેરી બીજા ચરણ (સીબીએમ-યુ) નો ઉદ્દેશ સુવિધાઓમાં સુધારો કરવાનો છે અને મ્યુનિસિપલ સંસ્થાઓને ઘન કચરાની પ્રક્રિયાને વર્તમાન 70 ટકાથી વધારીને 100 ટકા કરવાની મંજૂરી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી અને રાજ્યમંત્રી તેમજ અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments