Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાતોરાત કરોડપતિ બની ગયો પાલઘરનો માછીમાર, સવા કરોડ રૂપિયાથી વધુમાં વેચી ઘોલ માછલી

Webdunia
બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (18:46 IST)
ચોમાસામાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે.સમુદ્રમા માછલી પકડવા પર લાગેલી રોક હટાવ્યા પછી ચંદ્રકાંત 28 ઓગસ્ટની રાત્રે અરબી સમુદ્રમાં પ્રથમ વખત માછલી પકડવા ગયો હતો. કુદરતનો ચમત્કાર જુઓ, એક કે બે નહીં પણ કુલ 157 ઘોલ માછલીઓ તેની જાળમાં ફસાઈ ગઈ. આ માછલીઓને ચંદ્રકાંત અને તેમના પુત્ર સોમનાથ તરેએ  કુલ 1.33 કરોડમાં વેચી હતી. મતલબ તેને એક માછલીની કિમંત 85 હજાર રૂપિયા મળી. ઘોલ માછલીની કિમંત બજારમાં ખૂબ કિમતી હોય છે. આ માછલીને મેડિકલ સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. 
 
ચંદ્રકાંત તરેના પુત્ર સોમનાથે જણાવ્યું કે ચંદ્રકાંત તરે સહિત 8 લોકો સાથે હારબા દેવી નામની હોડીમાં માછલી પકડવા ગયો હતો. 
 
તમામ માછીમારો દરિયા કિનારેથી 20 થી 25 નોટિકલ માઈલની અંદર વાઢવાણ તરફ ગયા હતા. માછીમારોને 157 ઘોલ માછલીઓ મળી, જેને સી ગોલ્ડ પણ કહેવામાં આવે છે કારણ કે આ માછલીઓની કિંમત સોનાથી ઓછી નથી.
 
ઘોલ માછલી શુ છે ? 
 
ઘોલ માછલી એટલે કે જેને સી ગોલ્ડ પણ કહેવામાં આવે છે. તેને 'Protonibea Diacanthus' નામથી પણ ઓળખાય છે. આ માછલીને સોનાના હૃદયવાળી માછલી પણ કહેવામાં આવે છે. ગૌલ માછલીનો ઉપયોગ તબીબી સારવાર, દવાઓ, સૌંદર્ય પ્રસાધનો માટે થાય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર જેવા દેશોમાં આ ઘોલ માછલીઓની ભારે માંગ છે. શસ્ત્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા દોરા, જે આપમેળે જ ઓગળી જાય છે તે પણ આ માછલીમાંથી બનાવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments