Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big Breaking News - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2017 (19:45 IST)
મહાગઠબંધનમાં ચાલી રહેલી અટકળો વચ્ચે નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો છે. આમ, આ રાજીનામાથી જેડીયુ અને આરજેડીનું મહાગઠબંધન તૂટ્યુ હોવાની ચર્ચા ચારેકોર ચાલી છે. તો બીજી તરફ તેજસ્વીના રાજીનામાને લઈને મહાગઠબંધનને લઈને ચાલી રહેલી રાજનીતિક ઈસ્યૂ ખુલીને સામે આવ્યો છે.બિહારમાં રાજનૈતિક હલચલની વચ્ચે બિહારના સીએમ નીતિશ કુમારે આજે રાજ્યપાલ કેજરીનાથ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના મતે આ મુલાકાતમાં નીતિશ કુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજેપી હવે નીતિશ કુમારને સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપી શકે છે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે. આજે જેડીયૂ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જાણકારોના મતે  બેઠકમાં નીતિશ કુમારે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. અને સાંજે નીતિશ કુમાર રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું.
 
રાજીનામું આપ્યા પછી નીતિશ કુમારે કહ્યું કે, મેં મહામહિમ સાથે મુલાકાત કરીને રાજીનામું આપી દીધું છે. અમારાથી જેટલું થયું ત્યાં સુધી અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો. મેં જનતાના હિતમાં કામ કર્યું. મેં સતત બિહાર માટે કામ કરવાની કોશિશ કરી. પરંતુ હાલનો જે માહોલ છે, તેમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. અમે તેજસ્વી પાસે રાજીનામું માંગ્યું નથી, પરંતુ લાલૂ અને તેજસ્વીને એટલું જ કહ્યું છે કે તમારા ઉપર જે આરોપ લાગ્યો છે તેને સ્પષ્ટ કરે.
 
તમને જણાવી દઈએ કે બિહારમાં લાલૂ યાદવે ઘર પર સીબીઆઈની રેડ, રેલ્વે ટેંડર કૌભાંડમાં ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવનું નામ આવ્યા પછી નીતિશ કુમાર પર તેજસ્વી યાદવના રાજીનામા માટે દબાણ વધી રહ્યું હતું. આ આખો મામલો રાજનૈતિક રૂપ ધારણ કર્યા પછી નીતિશ કુમારે પોતાનું રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments