Webdunia - Bharat's app for daily news and videos

Install App

Statue of Unity નિકટ આવેલા ટેન્ટસીટીમાં મોડી રાત્રે લાગી આગ

Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (11:11 IST)
. ગુજરાતમાં તાજેતરમાં જ જનતાને સમર્પિત કરવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યૂનિટી પાસે એક ગોદામમાં આગ લાગી ગઈ. આ ઘટના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બાંધવામાં આવેલા ટેન્ટસીટીમાં બની છે.  મોડી રાત્રે લાગેલી આ આગ પર ત્રણ ફાયર ટેંડર્સએ કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈને જાનહાનિત થવાની સૂચના નથી. 

<

Gujarat: A fire broke out in a godown near the Statue of Unity last night. It was later doused with the help of three fire tenders. No casualties were reported. pic.twitter.com/IIozRJ4oe9

— ANI (@ANI) February 13, 2019 >
 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, નર્મદામાં કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં મુલાકાતીઓ માટે ટેન્ટસીટી બાંધવામાં આવી છે. જેમાં મંગળવારે મોડી સાંજે કોઇ કારણસર ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, ટેન્ટસિટીના ગોડાઉનમાં આગ લાગી છે, જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરાતા ફાયરબ્રિગેડના કાફલો તાબડતોડ રીતે પહોંચ્યો હતો, અને ભારે જહેમત બાદ આગ પર કાબૂમાં આવી હતી.
 
આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી, બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર બાંધવામાં આવેલી ટેન્ટસિટીમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ ઘટના મંગળવારે મોડી સાંજે બની હતી.
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 31 ઓક્ટોબરના દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. ઉદ્દઘાટનના પહેલા જ દિવસે સ્ટેચ્યુ ઓફ યૂનિટીને જોવા માટે 27 હજાર લોકોની ભીડ ઉમટી પડી હતી. 
 
સરદાર સરોવર ડેમ પાસે આવેલ 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટીને 2989 કરોડના રોકાણથી બનાવ્યુ છે. આ વિશાળકાય પ્રતિમાને જોવા માટે દેશ અને દુનિયાભરના લોકો અહી મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments