Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત

Webdunia
સોમવાર, 22 નવેમ્બર 2021 (08:37 IST)
એક જ પરિવારનાં 3 સભ્યનાં મોત : વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા - પુત્ર અને ભત્રીજાનાં મોત , પરિવારમાં માતમ સ્થાનિક તરવૈયાઓએ માતા - પુત્રના મૃતદેહો બહાર કાઢ્યા , ફાયર બ્રિગેડે ભત્રીજાનો મૃતદેહ બહાર કાઢ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે . માતા - પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે અને કરખડી ગામમાં સન્નાટો ફેલાઇ ગયો છે . વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે . કરખડીના વ્યાસ પરિવારમાં માતમ પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ , તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા . જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા . ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો . જ્યારે મિતેશ વ્યાસની ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી હતી . ભારે જહેમત બાદ પોલીસે તેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો . આ સમયે વ્યાસ પરિવાર આક્રંદ કરતો જોવા મળ્યો હતો .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments