Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રાંસજેંડર બાળક જનમ્યુ તો તગારીમાં મુકીને નદીમાં વહાવ્યુ, દેવદૂત બનીને લોકોએ બચાવી લીધુ

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (16:43 IST)
મથુરાના વૃંદાવનમાં યમુનામાં વહેતા નવજાત માટે  ત્યાંના લોકો  દેવદૂત બનીને સામે આવ્યા છે. પાની ગામના પુલ પાસે ગુરુવારે સવારે એક નવજાત શિશુ યમુના નદીમાં વહેતુ જોવા મળ્યુ છે.   એક કે બે દિવસના નવજાતને એક તગારીમાં મુકીને વહેતુ જોઈને ત્યા રહેતા સ્થાનિક લોકોએ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સાથે સ્થાનિક પોલીસે નવજાતને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડોકટરોએ નવજાતને ઓબ્જર્વેશન હેઠળ રાખ્યું છે. હાલ બાળક સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. 
 
જિલ્લા હોસ્પિટલના તબીબ કે.કે. માથુરના જણાવ્યા અનુસાર, નવજાતના અવિકસિત લિંગને છુપાવવા માટે, તેને તગારીમાં મૂક્યા પછી તેને યમુનામાં વહાવી દીધુ હશે. ડોક્ટરના કહેવા પ્રમાણે, બાળક ટ્રાંસજેંડર છે. તબીબોએ હાલ નવજાતને તંદુરસ્ત બતાવ્યુ છે. તેનું વજન લગભગ 3 કિલો છે. ડોકટરોએ નવજાતને થોડા દિવસો ઓબ્જર્વેશન માટે  હોસ્પિટલમાં રાખવાનું નક્કી કર્યું છે.
 
નવજાત મળવાની માહિતી ચાઇલ્ડ લાઇન સંસ્થાનેઆપવામાં આવી છે. સંસ્થાના કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ડોક્ટરની દેખરેખ બાદ બાળકને બાળ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યાંથી ચાઇલ્ડ લાઇનને મળશે. સંસ્થાએ પણ ટ્રાન્સજેન્ડર હોવાને કારણે  તેના પરિવારના લોકોએ નવજાતને નદીમાં વહેવડાવી દેવાની આશંકા બતાવી છે. સ્થાનિકોએ દેવદૂત બનીને તેને સાથ આપ્યો છે.  હાલ તે ડોકટરોની દેખરેખ હેઠળ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments