Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીટીંગ રીટ્રીટમાંથી ગાંધીજીની મનપસંદ ધૂન કાઢી નાખવામાં આવીઃ સમારોહમાં વગાડવામાં આવશે 26 ધૂન, 'અબાઈડ વિથ મી' ને ન મળ્યુ સ્થાન

Webdunia
રવિવાર, 23 જાન્યુઆરી 2022 (01:14 IST)
મહાત્મા ગાંધીની પસંદગીના ભજનની ધૂન 'અબાઈડ વિથ મી'  આ વખતે બીટિંગ રિટ્રીટમાં સાંભળવા મળશે  નહીં. બીટિંગ રીટ્રીટ માટે 26 ધૂનની યાદી બનાવવામાં આવી છે, જેમાં  'અબાઈડ વિથ મી'નો સમાવેશ નથી. તે મહાત્મા ગાંધીની પુણ્યતિથિના એક દિવસ પહેલા 29 જાન્યુઆરીએ બીટિંગ રીટ્રીટ સેરેમનીના અંતે વગાડવામાં આવ્યું હતું.
 
1950 થી  સતત આ ધૂનને બીટીંગ રીટ્રીટમાં વગાડવામાં આવતુ રહ્યુ છે, પરંતુ 2020 માં પ્રથમ વખત તેને સમારંભમાંથી હટાવી દેવામાં આવી હતી. આના પર ઘણા વિવાદો પછી, વર્ષ 2021 માં તેને ફરીથી સમારોહમાં સામેલ કરવામાં આવી. બીટીંગ રીટ્રીટમાંથી બીજી વખત આ ધૂનને દૂર કરવામાં આવી છે. શનિવારે ભારતીય સેના દ્વારા સમગ્ર કાર્યક્રમની પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. તેમાં આ ધૂનનો કોઈ ઉલ્લેખ નહોતો. 
 
 'અબાઈડ વિથ મી' ભજન શા માટે પ્રખ્યાત છે?
1847માં સ્કોટિશ કવિ હેનરી ફ્રાન્સિસ લાઇટ દ્વારા વિશ્વભરમાં પ્રખ્યાત સ્તોત્ર  'અબાઈડ વિથ મી' લખવામાં આવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેની ધૂન ખૂબ જ લોકપ્રિય બની હતી. એક લ્જિયમથી ભાગી રહેલા બ્રિટિશ સૈનિકોની મદદ કરનારી બ્રિટિશ નર્સ એડિથ કેવલે,  જર્મન સૈનિકોના હાથે મૃત્યુ પામ્યા તે પહેલાં ગીત ગાયું હતું.
 
ભારતમાં આ ધૂનને પ્રસિદ્ધિ ત્યારે મળી જ્યારે મહાત્મા ગાંધીએ તેને ઘણી જગ્યાએ વગાવડાવ્યુ. તેમણે આ ધૂન સૌપ્રથમ સાબરમતી આશ્રમમાં સાંભળી હતી. ત્યાં મૈસુર પેલેસ બેન્ડ આ ધૂન વગાડતું હતું. ત્યારથી તે આશ્રમના ભજનાવલિમાં 'વૈષ્ણવ જન તો', 'રઘુપતિ રાઘવ રાજારામ' અને 'લીડ કાઇન્ડલી લાઇટ'ની સાથે સામેલ થઈ ગયુ. 
 
બીટિંગ રીટ્રીટમાં આ વખતે આ ધૂન વગાડવામાં આવશે
 
ઉજવણીની શરૂઆત બગુલ પર ધામધૂમથી થશે. આ પછી માસ બેન્ડ વીર સૈનિક ગીત અને પાઇપ્સ એન્ડ ડ્રમ્સ બેન્ડ 6 ધૂન રજૂ થશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના બેન્ડ ત્રણ ધૂન વગાડશે. આ પછી એરફોર્સનું બેન્ડ 4 ધૂન વગાડશે. તેમાં ફ્લાઈટ લેફ્ટનન્ટ એલએસ રૂપચંદ્રન દ્વારા એક ખાસ કોમ્બેટ ટ્યુન પણ સામેલ હશે.
 
આ પછી નેવી બેન્ડ 4 ધૂન વગાડશે. ત્યારબાદ આર્મી મિલિટરી બેન્ડ - કેરળ સિકી એ મોલ અને હિંદ કી સેના નામની 3 ધૂન વગાડશે. માસ બેન્ડ 3 વધુ ધૂન કદમ કદડે બધે જા, ડ્રમર્સ કોલ અને એ મેરે વતન કે લોગોં દ્વારા ગાવામાં આવશે. 'સારે જહાં સે અચ્છા' સાથે ફંક્શન સમાપ્ત થશે. સમગ્ર સમારોહમાં 44 બગલર, 16 ટ્રમ્પેટ પ્લેયર્સ અને 75 ડ્રમર્સ હાજર રહેશે.
 
 શું છે બીટીંગ રીટ્રીટ?
ધ બીટિંગ રીટ્રીટ અઠવાડિયા સુધી ચાલતા ગણતંત્ર દિવસની ઉજવણીના સમાપનને દર્શાવે છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ દળોને તેમના બેરકમાં પરત જવાની  મંજૂરી આપે છે. આ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીનુ સમાપન થઈ જાય છે.  પહેલા તેની શરૂઆત 24 જાન્યુઆરીથી થતી હતી, પરંતુ આ વર્ષથી તે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિથી શરૂ થશે. આ વખતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે.
બીટીંગ રીટ્રીટમાંથી ગાંધીજીની મનપસંદ ધૂન હટાવવા માટે વિવાદ સર્જાયો છે. આવુ એટલા માટે થયુ છે કારણ કે ઈન્ડિયા ગેટ પર સળગતી અમર જવાન જ્યોતિને વોર મેમોરિયલની જ્યોતિમા વિલિન કરી દીધુ છે. તેને લઈને પહેલેથી જ લડાઈ ચાલી રહી છે. સરકારે 50 વર્ષથી પ્રજ્વલિત અમર જવાન જ્યોતિને વોર મેમોરિયલની જ્યોતિ સાથે ભેળવી દીધી છે. કોંગ્રેસ સહિત અનેક પૂર્વ સૈનિકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments