Webdunia - Bharat's app for daily news and videos

Install App

૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (11:50 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જીત મળી હોય પણ ભાજપ માટે હરાખવવા જેવુ નથી કેમ કે, શહેરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો વધ્યો છે. આ કારણોસર આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતતા ભાજપને આંખે અંધારા આવી શકે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦ બેઠકો પર સીધો ફાયદો થશે. વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ,તાપી,નર્મદા,અમરેલી,અરવલ્લી,ગીર સોમનાથ,મોરબીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. નામપૂરતી એકેય ૂબેઠક મળી શકી નથી. આ ઉપરાંત કોંગ્રેસે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, જામનગરમાં સારો દેખાવ કર્યો છે. અત્યારે લોકસભામાં ભાજપ પાસે ૨૬ બેઠકો છે. સુરેન્દ્રનગરમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨ લાખ મતોથી હારી હતી. આ વખતે આ વિસ્તારમાં કોંગ્રેસને ૪૪ હજારની લીડ મળી છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસને ૨ લાખ મતોથી હારનો સામનો કરવો પડયો તે જ વિસ્તારમાં ૨૬ હજારની લીડ મળી છે. ભરૃચમાં ૧.૫૦ લાખથી હારનાર કોંગ્રેસને વિધાનસભામાં ૧ હજાર મતની લીડ પ્રાપ્ત થઇ છે. જૂનાગઢમાં તો કોંગ્રેસ ૧.૩૫ લાખ મતથી હારી હતી તે વિસ્તારમાં આજે કોંગ્રેસને ૧.૧૪ લાખ મતોની લીડ મળી શકી છે. અમરેલીમાં ય કોંગ્રેસને ૫૦ હજારની સરસાઇ મળી છે.આણંદમાં ગત વખતે ૬૩ હજારથી હાર થઇ આજે ૬૦ હજારની લીડ મળી છે. વિધાનસભાની બેઠકોનો અંદાજ જોતાં કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં દસેક બેઠકો પર સીધો ફાયદો પહોંચી શકે છે. ભાજપના દિગ્ગજોને ચિંતા પેઠી છેકે, શહેરોને તો સાચવી શકાયાં છે પણ ગામડાઓમાં હજુય કમળ ખીલી શક્યુ નથી જે લોકસભાની ચૂંટણીમાં જોખમ સર્જી શકે છે. ચૂંટણી પરિણામ પરથી રાજકીય સબક મેળવી ભાજપે ખાસ કરીને ગામડાઓમાં એકડો ફરીથી ઘૂંટવો પડશે. રાજ્યસભાની ચાર બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે તે જોતાં તેમાં ય કોંગ્રેસ ભાગ પડાવી શકે છે. આમ,વિધાનસભાનુ પરિણામ ભાજપ માટે આંચકો આપનારૃ બની રહ્યું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments