Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોમ્મઈ એ લીધી કર્ણાટકના સીએમની શપથ, યેદિયુરપ્પાના પગે પડીને લીધા આશીર્વાદ, કહ્યુ - કામ આવશે અનુભવ

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (12:59 IST)
કર્ણાટકના 23માં મુખ્યમંત્રીના રૂપમાં બસવરાજ બોમ્મઈએ શપથ લીધી છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનુ સ્થાન લેશે. શપથ લેતા પહેલા બસવરાજે કહ્યુ કે તેમને યેદિયુરપ્પાના લાંબા અનુભવનો ફાયદો મળશે. આટલુ જ નહી શપથ લીધા પછી બોમ્મઈએ યેદિયુરપ્પાના પગે પડીને તેમના આશીર્વાદ લીધા  બે દિવસ પહેલા જ બીજેપીની સ્ટેટ યૂનિટ અને સરકારમાં ખેંચતાણ વચ્ચે બીએસ યેદિયુરપ્પાએ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જો કે તેમના રાજીનામાનુ એક કારણ તેમની વય પણ બતાવાઈ રહી છે. બીએસ યેદિયુરપ્પાના નિકટના કહેવાતા બોમ્મઈને સીએમ બનાવીને પૂર્વ સીએમ અને લિંગાયત સમુહ બંનેને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બોમ્મઈ પણ એ જ લિંગાયત સમુહમાંથી આવે છે, જેની સાથે યેદિયુરપ્પાનુ રિલેશન હતુ. 

<

Basavaraj Bommai sworn-in as the new Chief Minister of Karnataka pic.twitter.com/4RPPysdQBa

— ANI (@ANI) July 28, 2021 >
 
28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના મંત્રી છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી. 1998 અને 2004માં તેઓ બેવાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં જોડાયા હતા. એ જ વર્ષે, તેઓ હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments