Webdunia - Bharat's app for daily news and videos

Install App

એયર સ્ટ્રાઈક પછી ગભરાયુ પાકિસ્તાન, ઉરીમાં તોડ્યુ સીઝફાયર. સિયાલકોટમાં વધી હલચલ

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (11:06 IST)
ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એયર સ્ટ્રાઈક પછી પડોશી દેશ ગભરાય ગયો છે અને જેને કારણે સતત સીમા પર સીઝફાયરનુ ઉલ્લંઘન કરી રહ્યો છે. બુધવારે સવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં ગોળીબારી કરી. જેનો ભારતે જબડાતોડ જવાબ આપ્યો. બીજી બાજુ પાકિસ્તાની સેનાના સિયાલકોટમાં ટૈક ગોઠવાયાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા મંગળવારે સાંજથી જ પાકિસ્તાન અનેક સ્થાન પર સીઝફાયર તોડી રહી છે. ભારતીય સેનાએ સીમાપારથી પાકિસ્તાની ગોળીબારીનો કરારો જવાબ આપતા જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાના તેના પર સ્થિત પાકિસ્તાનની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી દીધી. આ કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની સૈનિક ઘવાયા છે. એક રક્ષા અધિકારી આ માહિતી આપી. 
 
એક રક્ષા પીઆરઓએ કહ્યુ કે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી કરી અને અમારી લક્ષિત ગોળીબારીમાં પાંચ ચોકીઓને પણ ગંભીર નુકશાન પહોંચ્યુ અને (રાજૌરી અને પુંછ જીલ્લામાં નિયંત્રણ રેખા સાથે લગાયેલા ક્ષેત્રમાં)   પાકિસ્તાની સેનાના અનેક જવાન ઘાયલ થયા. તેમણે કહ્યુ કે સાંજે સાઢા છ વાગ્યા પછી પાકિસ્તાની સેનાના હતાશાને કારણે નિયંત્રણ રેખા પર ભારે હથિયારોથી ગોળીબાર કરીને તેમને ઉપસાવ્યા વગર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યુ. 
 
પાકિસ્તાની સૈનિકોને ગ્રામીણોને માનવ કવચના રૂપમાં ઉપયોગ કરતા સામાન્ય નાગરિકોના ઘરમાંથી મોર્ટાર અને મિસાઈલો દાગતા પણ જોવાયા. પીઆરઓએ કહ્યુ કે જો કે ભારતીય સેનાએ  નાગરિકોની વસ્તીઓથી અલગ પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી. જેના કારણે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિક ઘાયલ થયા.  બંને બાજુથી ગોળીબારમાં ભારતીય સેનાના પાંચ સૈનિકો મામૂલી રૂપે ઘવાયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments