Webdunia - Bharat's app for daily news and videos

Install App

UK નો વ્યવહાર ભેદભાવવાળો, અમે પણ લઈશુ જવાબી એક્શન, કોવિશીલ્ડ પર ભારતની ચેતાવણી

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (17:58 IST)
ભારત સરકારનું કહેવું છે કે બ્રિટને કોરોના વેક્સેન  કોવિડહિલ્ડને માન્યતા ન આપીને ભેદભાવવાળો વ્યવ્હાર કરી રહ્યુ છે. એવુ પણ કહ્યું કે જો આનુ કોઈ સમાઘાન નહી નીકળે તો જવાબી કાર્યવાહી કરવામાં આવશે. 
 
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ આજે ​​જણાવ્યું હતું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો યુકે સરકારનો નિર્ણય "ભેદભાવપૂર્ણ" હતો. તેમણે એમ પણ કહ્યું કે તે ભારતના "પારસ્પરિક ઉપાય કરવાના અધિકાર" ની અંદર આવે છે.। તેમણે ઉમેર્યું, 'કોવિશિલ્ડને માન્યતા ન આપવી એક ભેદભાવપૂર્ણ નીતિ છે અને યુકેની મુસાફરી કરતા અમારા નાગરિકોને પ્રભાવિત કરે છે. વિદેશ સચિવે યુકેના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. મને કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા છે કે આ મુદ્દાને જલ્દી ઉકેલવામાં આવશે.
 
બ્રિટને બદલ્યા યાત્રા નિયમ 
 
ઉલ્લેખનીય છે કે બ્રિટને પોતાના કોવિડ-19 ટ્રાફિક નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ આ સાથે તેણે એક નવા વિવાદને પણ જન્મ આપ્યો છે. બ્રિટન પર આરોપ લાગી રહ્યો છે કે તે ભારત સાથે ભેદભાવ કરી રહ્યુ છે. ભારત તરફથી આવતા મુસાફરો માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે યુકે સરકાર પર પણ દબાણ વધતુ જઈ રહ્યું છે. આવુ એટલા માટે કારણ કે બ્રિટને નવા નિયમો હેઠળ 'કોવિશિલ્ડ' રસી લેનારાઓને વેક્સીન લીધેલુ માનવામાં, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સીન લેનારાઓને માન્યતા આપવામાં આવી છે.
 
ભારતની મોટાભાગની વસ્તીને કોવિશીલ્ડ 
 
ભારતમાં મોટાભાગના લોકોને કોવિડશીલ્ડ રસી મળી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય સંસ્કરણ છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે, તેમ છતાં ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. યુકેમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU) ના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે, "ભારતીય વિદ્યાર્થીઓ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને યુરોપીય સંઘના તેમના સમકક્ષોની તુલનામાં તેમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments