Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેન્નાઈમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:25 IST)
Chennai Rain - દેશના ચાર મહાનગરોમાંના એક અને તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતાએ રૅડ એલર્ટ જાહેર કર્યા પછી શહેરમાં ભારે વરસાદ તો નથી પડ્યો પણ છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને લીધે શહેરમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
 
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને રાહત છાવણીમાં ખસેડવામાં આવી રહ્યા છે. ચેન્નાઈ મૅટ્રોપૉલિટન કૉર્પરેશન તેમના દાણાપાણીની વ્યવસ્થા કરી રહી છે.
 
આપત્તિ નિવારણ વિભાગ અનુસાર 70 રાહત છાવણીઓમાં 2789 લોકોને આશરો આપવામાં આવ્યો છે.
 
ચેન્નાઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને આઠ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
 
કેટલાંક તળાવ પણ છલકાઈ ગયાં છે. પીડબલ્યુડી વિભાગે જાણકારી આપી છે કે 130 તળાવ 75 ટકા ભરાઈ ચૂક્યાં છે જ્યારે 120 તળાવ અડધો અડધ ભરાઈ ગયાં છે.
 
હવામાન ખાતાએ કહ્યું હતું કે, "દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર જે દબાણ બન્યું હતું તે છેલ્લા છ કલાકમાં 12 કિલોમીટરની ગતિથી પશ્ચિમ – ઉત્તર – પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે અને તે જ વિસ્તારમાં થોબી ગયું હતું. 7 ઑક્ટોબરે સવારે એ દબાણ ઉત્તરી તમિનાડુ અને દક્ષિણ આન્ધ્ર પ્રદેશને વટાવશે એવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી હતી."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments