Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાળમાં જળ પ્રલય - ભારે વરસાદ પછી આવ્યુ પુર, અત્યાર સુધી 7 ના મોત, 50 લાપતા

Heavy Rain In Nepal
કાઠમાંડૂ. , ગુરુવાર, 17 જૂન 2021 (14:12 IST)
મુશળધાર વરસાદ બાદ પૂરને કારણે નેપાળમાં પૂરનો માહોલ સર્જાયો છે. મધ્ય નેપાળમાં નદીમાં આવેલા પુરને કારણે  અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના પાણીની તેજ ગતિને કારણે અનેક પુલ ધરાશાયી થયા છે. આને કારણે ટ્રાફિક પણ અટવાય ગયો છે. પુલ તૂટી પડતાં બચાવ કામદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે  
Heavy Rain In Nepal
સિંધુપાલચોકમાં આવેલ પુરે તબાહી મચાવી 
 
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની સૌથી વધુ ખરાબ રીતે અસર મધ્ય નેપાળમાં સિંધુપાલચોકમાં મેલમ્ચી નદીમાં પૂર આવી ગયુ. બધા સાત  લોકોનાં મોત અહી જ થયા છે. મંગળવારે રાત્રે મૃતકોના મૃતદેહ મળી આવ્યા.  અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે લગભગ 50 લોકો લાપતા છે, તેમાંના મોટા ભાગના  મેલામ્ચી પીવાના પાણીના પ્રોજેક્ટમાં કામ કરનારા મજૂરો છે. 
Heavy Rain In Nepal
50 થી વધુ લોકો હજી પણ લાપતા 
 ફેસબુક પર સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રી  શેર બહાદુર તમાંગે જણાવ્યું હતું કે મેલમ્ચી અને ઇદ્રાવતી નદીઓમાં પૂરમાં 50 થી વધુ લોકો લાપતા છે. પૂરના કારણે મેલમ્ચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીમ્બૂ બજાર,  ચનાઉત બજાર, તાલામરંગ બજાર અને મેલમ્ચી બજારના ડેમોને પણ નુકસાન થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા ઘરવાપસી માટે કવાયત શરુ થઈ, ભરતસિંહ સોલંકીએ બાપુ સાથે મુલાકાત કરી