Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રના 291 માછીમારોને પાકિસ્તાન મુકત કરશે

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (17:02 IST)
સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારોની ફિશીંગ બોટોના 600થી વધુ ખલાસીઓ પાકિસ્તાનની જુદી-જુદી જેલોમાં હોય તે પૈકી 291 માછીમારોને ચાલુ વર્ષના અંતે અને નવા વર્ષના આરંભે મુકત કરવામાં આવશે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખ ભરતભાઇ મોદીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી અવાર-નવાર માછીમારોને ઉઠાવી જાય છે અને બોટો મુકત કરતી નથી. પાક.ની જુદી-જુદી જેલોમાં માછીમારોને બંદીવાન બનાવીને પૂરી દેવામાં આવે છે ત્યારે અંદાજે 600થી વધુ માછીમારો પાકિસ્તાનની અલગ-અલગ જેલમાં સબડી રહ્યા છે તે પૈકી 291 માછીમારોની પાકિસ્તાની કોર્ટની કાર્યવાહી પૂર્ણ થતાં તેઓને મુકત કરવામાં આવશે. તા.29 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 145 ખલાસીઓને અને ત્યારબાદ 8 જાન્યુઆરીના 146 માછીમારોને બીજા તબક્કામાં મુકત કરવામાં આવશે. વાઘા બોર્ડર ખાતેથી ગુજરાત ફિશરીઝ વિભાગના અધિકારીઓ કબ્જો લેશે. મુકત થનારા મોટા ભાગના માછીમારો વણાંકબારા, કોડીનાર, ઉના દિવ પંથકના લાંબો સમયથી જેલમાં સબડી રહેલા માછીમારોને કારણે તેમના પરિવારજનોની સ્થિતિ દયનીય બની ગઇ છે ત્યારે તેઓને છોડવાની જાહેરાત કરવામાં આવતા પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments