Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલન સમિતિની નવી સમિતિ રચાશે, હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:52 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સમય દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે. ચૂંટણી પહેલા હાર્દિક પટેલના ખાસ દિનેશ બાંભણિયાએ પણ ચૂંટણી પૂર્ણના થાય ત્યાં સુધી આંદોલનમાં નિષ્ક્રિય થવાની જાહેરાત કરતાં પાસ સમિતિ વેર વિખેર થઈ ગઈ હતી. જે હવે 25 ડિસેમ્બરની આસપાસ પાસ સમિતિની બેઠક મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલ સહિત પાસના તમામ કન્વીનરો હાજર રહેશે. જોકે મળનારી આ બેઠક હાર્દિક પટેલ માટે કપરી સાબિત થાય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં તમામ પાસના કન્વીનરો હાર્દિકને રાજકીય સવાલો, અનામત આંદોલન તથા કોંગ્રેસને ટેકો આપવા અંગેના અનેક સવાલો કરશે. પાસની મળનારી બેઠક અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, નજીકના દિવસોમાં પાસ સમિતિની બેઠક મળશે. બેઠકમાં હાર્દિક પટેલ સાથે નવો પ્લાન ઘડવામાં આવશે. હાર્દિક પટેલે કોંગ્રેસને કરેલા રાજકીય સપોર્ટ અંગે પણ સમિતીમાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે. જ્યારે પાટીદાર આંદોલનને કઈ રીતે આગળ વધારવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરત પાસ સમિતિના પૂર્વ કન્વીનર ભાજપમાં જોડાયા બાદ ફરીથી પાસ માટે અંદર ખાને કામ કરી રહ્યા છે. જ્યારે નજીકના સમયમાં મળનારી બેઠકમાં નિખીલ સવાણીને ફરીથી પાસમાં જગ્યા આપવાનું વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ જો સુરત પાસ સમિતિનો નિર્ણય આખરી નિર્ણય રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments