Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રેટર નોએડા દુર્ઘટના- બે બિલ્ડિંગ ઢસડી, 3ના મૃતદેહ મળ્યા, અનેક લોકો દબાયાની આશંકા

Webdunia
બુધવાર, 18 જુલાઈ 2018 (10:39 IST)
greater-noida-buildings-collapsed
રાજધાની દિલ્હી નિકટ આવેલા ગ્રેટર નોએડાના શાહબેરી ગામમાં મંગળવારે રાત્રે બે બિલ્ડિંગ પડી જવાથી અત્યાર સુધી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. એનડીઆરએફના કમાંડેટ પીકે શ્રીવાસ્તવે જણાવ્યુ કે નેશનલ ડિઝાસ્ટર રેસ્પોંસ ફોર્સ (એનડીઆરએફ)ની ચાર ટીમ અને ડૉગ સ્કવાયડ ઘટના સ્થળ પર હાજર છે. જો કે દબાયેલા લોકોના જીવતા બચવાની આશા ખૂબ ઓછી છે. 
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે છ માળની બિલ્ડિંગમાં કેટલા લોકો ફંસાયેલા હોઈ શકે છે.  અધિકારીઓએ જણાવ્યુ કે પરિવારને હાલ આ બિલ્ડિંગમાં શિફ્ટ નથી કરવામાં આવ્યા પણ કેટલીક દુકાનો ચલાવવામાં આવી રહી હતી. રીઝનલ ચીફ ફાયર ઓફિસર અરુણ કુમાર સિંહે મરનારાઓની સંખ્યામાં વધારો થવાની આશંકા જાહેર કરતા કહ્યુ - અમારી પાસ્સે એ વાતનો કોઈ પુરાવો નથી કે જે સમયે દુર્ઘટના થઈ એ સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો  હાજર હતા.
greater-noida-buildings-collapsed

ઉલ્લેખનીય છે કે, શાહેબરીની જમીનનું સંપાદન ગ્રેટર નોઈડા ઓથોરિટીએ કર્યું હતું. તેના વિરોધમાં ગામ લોકો કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ શાહબેરીનું જમીન સંપાદન રદ કર્યું હતું. તેને પગલે બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટ શિફ્ટ કરવા પડ્યા. ગ્રેટર નોઈડા ઓથોરિટીએ આ વિસ્તારમાં નિર્માણ કામ પર રોક લગાવી છે. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે.
 
અહીં ખેડૂતો પાસેથી જમીન લઈને ઊંચી-ઊંચી બિલ્ડિંગો બનાવી દેવાઈ છે. તેના પર ફ્લેટ બનાવી લોકોને વેચવામાં આવી રહી છે. લોકોએ જણાવ્યું કે, આ જમીન ગ્રેટર નોઈડાના સેક્ટર 4માં છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments