Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ghaziabad Fire : ગાઝિયાબાદના ઈંદિરાપુરમમાં ગૌશાળાની પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી, 49 ગાયોના મોત

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (17:10 IST)
ગાઝિયાબાદના ઈંદિરાપુરમના ગ્રામ કનાવની પુસ્તા રોડ ડૂબ વિસ્તાર સ્થિત ઝૂપડપટ્ટીમાં સોમવારે બપોરે ભયંકર આગ લાગી ગઈ. આગના કારણે પાસમાં જ સ્થિત ગૌશાળામાં અત્યાર સુધી આશરે 49  જેટલી ગાયોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ડઝનબંધ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
 
આગના સમાચાર વાયુવેગે ફેલાતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ઘણી ગાયો પણ દાઝી ગઈ હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી ગાયોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે. આગ એટલી જોરદાર હતી કે તેણે સમગ્ર વસાહતને જોતા જ લપેટમાં લીધી હતી. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આગના કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
 
શ્રી કૃષ્ણ સેવા ગૌશાળા ટ્રસ્ટના ડાયરેક્ટર સૂરજના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે તેમની ગૌશાળામાં 100થી વધુ ગાયો હતી. જેના કારણે 49-50 જેટલી ગાયો આગમાં સળગીને મૃત્યુ પામી છે. આગ ઝૂંપડપટ્ટીમાં લાગી હતી. આ દુર્ઘટનામાં 30 થી વધુ ઝુંપડાઓ પણ બળીને રાખ થઈ ગઈ છે અને 3 સિલિન્ડર ફાટી ગયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments