Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો રડતા દાદી અને પૌત્રીની વાયરલ તસ્વીર પાછળની હકીકત

Webdunia
શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:14 IST)
શહેરનાં એક જાણીતા ફોટો પત્રકારે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડેનાં દિવસે પોતાનાં કેરિયરનો સૌથી સુંદર ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ ફોટો થોડાક જ સમયમાં એટલો બધો વાયરલ થયો કે જાણીતી નામચીન હસ્તીઓ દ્વારા તેનાં પર કોમેન્ટો પણ આવવાની શરૂ થઇ ગઇ. છેલ્લાં બે દિવસથી એક તસ્વીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. ત્યારે આ તસ્વીરમાં એક સ્કૂલની વિદ્યાર્થી અને એક વૃદ્ધ મહિલા રડતી જોવા મળી રહી છે. આ તસ્વીર પાછળની એક કહાની પર શેર કરવામાં આવી રહી છે. 
તસ્વીર પાછળની જે કહાની છે તેનાં કારણે આ ઘણી ચર્ચાસ્પદ બની છે. આ તસ્વીર અમદાવાદની છે. તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે, એક સ્કૂલે પોતાનાં ત્યાં ભણતા બાળકો માટે એક વૃદ્ધાશ્રમમાં ટૂરનું આયોજન કર્યું હતું. આ સમયે એક યુવતીએ પોતાની દાદીમાને જોયા હતાં. જ્યારે આ બાળકી પોતાનાં માતા-પિતાને દાદીમાં વિશે પૂછતા તો તેને કહેવામાં આવતું હતું કે તે પોતાનાં સંબંધીઓને ત્યાં રહેવા ગઈ છે. આપણે આ કેવા પ્રકારનો સમાજ બનાવી રહ્યાં છીએ? આ ભાવુક કરી દેનાર સંદેશા સાથેનો યુવતી અને દાદીનો ફોટો જોત-જોતામાં વાયરલ થઇ ગયો છે. તેમાં શું ખાસ છે કે છેલ્લાં બે દિવસથી ટ્વિટર હોય કે ફેસબુક દરેક લોકોનાં ટાઇમલાઇન પર આ ફોટો જોવા મળી રહ્યો છે. 
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ક્રિકેટર હરભજન સિંહે પણ પોતાનાં ફેસબુક અને ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે. આ ફોટો હાલ ભલે વાયરલ થઈ રહ્યો હોય પણ આ ફોટો 11 વર્ષ જૂનો છે એટલે કે 2007નો છે. આ ફોટો 2007માં અમદાવાદનાં ફોટોગ્રાફર કલ્પિત ભચેચે એક વૃદ્ધાશ્રમમાં આ ફોટો પાડ્યો હતો. જ્યાં દાદી અને યુવતીનું મિલન થાય છે. જો કે દાદીમાંએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પોતાની મરજીથી વૃદ્ધાશ્રમમાં આવ્યાં છે. આ ઘટના સાચી છે પણ હાલની નથી. આ ફોટોમાં જોવા મળતી યુવતી હાલ મોટી થઈ ગઈ છે અને તેનાં દાદીમાં પણ એકદમ સ્વસ્થ છે. દાદીમાં ક્યારેક વૃદ્ધાશ્રમમાં તો ક્યારેય ઘરે રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments