Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીના સલાહકાર બન્યા પૂર્વ IAS અમિત ખરે, એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં રહ્યો છે મહત્વપૂર્ણ રોલ

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (21:34 IST)
માનવ સંસાધન અને સૂચના પ્રસારણ મંત્રાલયમાં સચિવ તરીકે સેવાઓ આપી ચૂકેલા અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. 1985 બેંચના આઇએએસ અધિકારી અમિત ખરે 30 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચ શિક્ષણ સચિવના પદ પરથી નિવૃત થયા હતા. એક સરકારી આદેશમાં તેમની નિમણૂકની જાણકારી આપવામાં આવી હતી. સરકાર તરફથી આપવામાં અવેલી જાણકારી અનુસાર કેબિનેટની નિયુક્ત સમિતિએ અમિત ખરેને પીએમ મોદીના સલાહકાર બનાવવાની મંજૂરી આપી છે. તે પીએમઓ તથા સલાહકાર તરીકે કામ કરશે. તેમની રેંક અને સ્કેલ ભારત સરકારના કોઇ અન્ય સચિવ બરાબર હશે. તેમની આ નોકરી કોન્ટ્રાક્ટ આધારે હશે. આ ઉપરાંત પુનનિયુક્તિને લઇને સરકારના તમામ નિયમ પણ તેમના પર લાગૂ થશે.  
 
હાલ તેમણે બે વર્ષ અથવા પછી આગામી આદેશ સુધી નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ વધારવામાં પણ આવી શકે છે. અમિત ખરે પીએમ નરેન્દ્ર મોદીના અંગત અમલદારોમાં સામેલ કરવામાં આવે છે. દેશમાં આ લાગૂ કરવામાં આવેલી નવી એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન ગણવામાં આવે છે. આ ઉઅરાંત ડિજિટલ મીડિયાને લઇને નિયમ નક્કી કરવામાં અણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તાજેતરમાં જ કેંદ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયાને લઇને નિયમો જાહેર કર્યા હતા. 
 
આ વર્ષે પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હા અને સચિવ રહી ચૂકેલા અમરજીત સિન્હા પીએમઓ છોડ્યું હતું. ત્યારબાદ અમિત ખરેની પીએમઓમાં એન્ટ્રી થઇ છે. પીકે સિન્હા અને અમરજીત સિન્હા પણ પીએમ નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. અમિત ખરેને સ્પષ્ટ નિર્ણયો લેવા અને પારદર્શિતા સાથે કામ કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલાક સચિવોમાંથી એક છે, જેણે એક સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયના કામકાજને સંભાળ્યું છે. તેના દ્વારા સમજી શકાય છે કે પીએમ નરેન્દ્ર મોદી તેમના પર કેટલો વિશ્વાસ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments