Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મંદિરમાં હવે ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે..

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (17:51 IST)
બિહારમાં હાલ ભીષણ ગરમીનો કહેર છે. બિહારનું  ગયા શહેર
 આમ તો સૌથી વધુ ગરમ શહેરમાંથી એક છે. આવામાં હવે અહી ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે. ભગવાનને ગરમી ન લાગે અને પરસેવો ન છૂટે એ માટે પંખાની વ્યવસ્થાની ગઈ છે.  ગયાના રામશિલા મંદિરમાં આ જ જોવા મળી રહ્યુ છે. 
 
બિહારમાં 42-44 ડિગ્રીની ભીષણ ગરમી પડી રહી છે. લોકોને પરસેવો છૂટી રહ્યો છે પણ અહી ભગવાનને પણ પરસેવો છૂટી રહ્યો છે. આવુ દ્રશ્ય જોવા મળ્યુ છે. ગયાના રામશિલા મંદિરમાં ગણેશ ભગવાનની મૂર્તિ માટે પંખો લગાવવામાં આવ્યો છે.  એવુ કહેવાય રહ્યુ છે કે ભગવાનની મૂર્તિમાંથી પરસેવો નીકળી રહ્યો છે. 
 
અહીના પુજારીનુ કહેવુ છે કે જેવો લોકોને પરસેવો આવે છે એ જ રીતે ગણેશ ભગવાનની મૂર્તિને અહી પરસેવો આવી રહ્યો છે. તેથી ઠંડક પહોંચાડવા માટે અહી પંખો લગાવાયો છે.  સાથે જ તેમને ચંદન, દૂધ, દહીંનો લેપ લગાવવામાં આવે છે. જેનાથી ઠંડક બની રહે.  તેમનુ કહેવુ છે કે ગરમીમાં આવુ હંમેશા થાય છે. 
 
જો કે ગણેશ ભગવાનની મૂર્તિને પરસેવો નીકળવા પાછળનું કારણ કંઈક બીજુ જ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે ગણેશ ભગવાનની મૂર્તિ લાલ રત્નથી બનેલી છે. આ સમગ્ર ભારતમાં સૌથી દુર્લભ મૂર્તિ છે. આ એક માત્ર એવી મૂર્તિ ભારતમાં છે જે લાલ રતનની બનેલી છે. જેને અનેક વર્ષો પહેલા અહીના રાજાએ સ્થાપિત કરી હતી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે લાલ પત્થર ગરમ હોય છે. આવામાં વાતાવરણની ગરમીથી તેના અંદરથી પાણી નીકળે છે. જે મૂર્તિ પર પરસેવોના રૂપમાં દેખાય છે. જો કે આ પહેલીવાર નથી કે આ મૂર્તિમાંથી પાણી નીકળી રહ્યુ છે. અનેક વર્ષથી આવુ જ થતુ આવ્યુ છે. તેથી અહી મંદિરમાં મૂર્તિ માટે પંખો પહેલાથી જ લગાવવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

કર્ણાટકમાં BJP MLA મુનીરથ્ના પર ક્રેકડાઉન; ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટરની અટકાયત

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

આગળનો લેખ
Show comments