Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને તિહાડ જેલમાં મોકલાશે

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (13:11 IST)
દિલ્હીની રાઉઝ ઍવેન્યૂ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
 
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તેમને તિહાડ જેલમાં રાખવામાં આવશે.
 
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીનું કહેવું હતું કે શરાબનીતિ સાથે જોડાયેલા કથિત ગોટાળા મામલે પૂછપરછ દરમિયાન કેજરીવાલનું વલણ સહયોગ આપનારું નહોતું.
 
ઈડીના વકીલ એસ. વી. રાજુએ કહ્યું કે કેજરીવાલે પૂછપરછ દરમિયાન સહયોગ નહોતા કરી રહ્યા એટલું જ નહીં પરંતુ તેમણે પોતાના ફોનના પાસવર્ડ પણ નહોતા આપ્યા.
 
કોર્ટ આવતા સમયે કેજરીવાલે મીડિયાને જણાવ્યું, “પીએમ મોદી જે કરી રહ્યા છે તે દેશ માટે યોગ્ય નથી.”
 
શરાબનીતિમાં(જે હવે રદ થઈ ગઈ છે.) કથિત ગોટાળા મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી. તેમને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ફરી ઇડીએ તેમની કસ્ટડી માગી તો તેમને 1 એપ્રિલ સુધીની કસ્ટડી આપવામાં આવી હતી. હવે કોર્ટે તેમને 15 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

EDited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments