Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષા મંત્રીએ પાકિસ્તાનનું નામ લઈને ચીનને ઈશારામાં આપી ચેતવણી, કહ્યું- અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો તો જડબાતોડ જવાબ આપીશુ

Webdunia
શનિવાર, 20 નવેમ્બર 2021 (19:03 IST)
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન કે રાષ્ટ્ર વિરોધીઓ દેશની શાંતિને બગાડવાનો પ્રયાસ કરશે તો નવું ભારત જડબાતોડ જવાબ આપશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું હતું કે ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ તેની એક ઇંચ પણ જમીન હડપ કરવાનો પ્રયાસ કરશે તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા સિંહ ઉત્તરાખંડમાં 'શહીદ સન્માન યાત્રા'ના બીજા તબક્કાની શરૂઆત કરવા પહોંચ્યા હતા. જે પિથોરાગઢ જિલ્લાના જોલખેત મૂનાકોટથી શરૂ થઈ હતી. 
      
"અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે કોઈ વિદેશી જમીન પર કબજો કર્યો નથી. પડોશીઓ સાથે સારા સંબંધો એ ભારતની સંસ્કૃતિ રહી છે, પરંતુ કેટલાક લોકો તેને સમજી શકતા નથી. મને ખબર નથી કે તે તેમની આદત છે કે સ્વભાવ.
 
પાકિસ્તાનનું નામ લેતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે આતંકવાદી ગતિવિધિઓ દ્વારા ભારતને અસ્થિર કરવાની કોશિશ કરે છે અને તેને કડક સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું, "અમે પશ્ચિમી સરહદ પરના અમારા પાડોશીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જો તે સરહદ પાર કરશે તો અમે માત્ર સરહદો પર જ જવાબી કાર્યવાહી નહીં કરીએ, પરંતુ તેના ક્ષેત્રમાં ઘૂસીને સર્જિકલ અને હવાઈ હુમલા પણ કરીશું."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments