Webdunia - Bharat's app for daily news and videos

Install App

BMCમાં અમારો જ મેયર રહેશે, ભાજપાએ કર્યો દગો - શિવસેના

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (14:34 IST)
મુંબઈના બીએમસી ચૂંટણીમાં 82 સીટો જીતનારી ભાજપાની બઢતથી બેફિક્ર શિવસેનાએ શુક્રવારે જોર આપીને કહ્યુ કે નગર નિગમના મેયર તેમની પાર્ટીના જ બનશે.  આ સાથે જ શિવસેના હવે પરાયા થઈ ચુકેલા પોતાના જૂના સહયોગી ભાજપા પર છલથી તેમને અસ્થિર કરવાનો પણ આરોપ લગાવ્યો. 
 
શિવસેનાએ દેશની સૌથી શ્રીમંત નગર નિગમ માટે ભાજપા સાથે ગઠબંધન ન કરવાના સંકેત આપ્યા છે. સેનાએ કહ્યુ કે ભગવા પાર્ટી સાથે તેમની લડાઈ ચાલુ રહેશે અને તે મુશ્કેલ રસ્તા પર ચાલતી રહેશે. ભલે તેનુ પરિણામ કંઈક પણ હોય. 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીમાં ભાજપાને શાનદાર જીત મળી છે અને તે 10માંથી આઠ નગર નિગમની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે ભાજપા પોતાની સહયોગી પાર્ટી શિવસેનાથી પાછળ રહી ગઈ.  શિવસેનાને પોતાના ગઢ મુંબઈના નગર નિગમ ચૂંટણીમાં કુલ 84 સીટ મળી છે. 
 
મહાનગર ચૂંટણીના પરિણામના એક દિવસ પછી સેનાએ પોતાના મુખપત્ર સામનામાં દાવો કર્યો કે ભાજપાએ આ ચૂંટણીમાં રાજ્યની પૂરી મશીનરીનો ઉપયોગ કર્યો. તેમા કહેવામાં આવ્યુ કે બૃહન્નમુંબઈ નગર પાલિકા અને અન્ય સ્થાનીક નિગમ ચૂંટણીમાં અભૂતપૂર્વ પરિણામ મેળવવા માટે કેન્દ્રીય નેતૃત્વએ પોતાની પૂરી તાકત લગાવી દીધી. 
 
તેમા દાવો કરવામાં આવ્યો, સેના છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં સત્તારૂઢ છે. ભાજપાએ અમારા શાસનને અસ્થિર કરવા માટે છળનો  સહારો લીધો. આ પહેલા કોંગ્રેસ રાજમાં આવુ ક્યારેય ન થયુ. 
 
સેનાએ દાવો કર્યો, બીએમસી ચૂંટણીમાં ભાજપાએ પૂરી તાકત લગાવી દીધી. પણ તેમ છતા તેને ફફ્ત 82 સીટો મળી.  બીએમસીનો મેયર શિવસેના સાથે જ થશે. 
 
બીએસસીના પરિણામ આવતીકાલે જાહેર થયા હતા. જેમાં શિવસેનાને 84, જ્યારે કે ભાજપાને 82 સીટો મળી હતી. કોંગ્રેસ ફક્ત 31 સીટો જીતીને ત્રીજા નંબર પર રહી. જ્યારે કે રાકાંપા અને રાજ ઠાકરેની મનસેને ક્રમશ નવ અને સાત સીટો મળી. 
 
સેનાએ આજે કહ્યુ કે તે અગ્નિપથ પર ચાલતી રહેશે અને પરિણામની ચિંતા કર્યા વગર પોતાની લડાઈ ચાલુ રાખશે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments