Webdunia - Bharat's app for daily news and videos

Install App

BMC Election 2017, Exit Poll Results: અલગ લડવાથી શિવસેનાને થશે મોટુ નુકશાન, બીજેપીને બમણો ફાયદો, રાજ ઠાકરે નંબર 4

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:37 IST)
દેશના સૌથી શ્રીમંત નગર નિગમ બૃહણમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંગળવારે વોટ નાખવામાં આવ્યા. આ નગર નિગમમાં છેલ્લા લગભગ બે દસકાથી બીજેપી અને શિવસેના ગઠબંધનનો કબજો છે. આ વખતે બંને પાર્ટી જુદા જુદા ચૂંટણીમાં ઉતર્યા છે.  છેલલ અનેકવારની તુલનામાં બીએમસી ચૂંટણીનુ મતદાન આ વખતે કંઈક સારુ થઈ રહ્યુ છે. આ વખતે નગર નિગમ ચૂંટણીમાં 52.17  ટકા મતદાન રહ્યુ. આ ટકા છેલ્લા ત્રણ વખતની ચૂંટણીમાં સૌથી વધુ છે. ચૂંટણીના પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ આવવાનુ છે.  બૃહણમુંબઈ મ્યૂનિસિપલ કોર્પોરેશનના પરિણામ રાજ્યમાં ચાલી રહેલ શિવસેના બીજેપી ગઠબંધન સરકારના અને શિવસેના બીજેપીના પરસ્પર સંબંધો પર ફરક નાખનારા હશે.  મંગળવારે મોદી સાંજે અંગ્રેજી ન્યૂઝ ચેનલ ઈંડિયા ટુડેએ ચૂંટણી સાથે સંબંધિત એક્ઝિટ પોલ રજુ કર્યુ છે. આ એક્ઝિટ પોલ મુજબ 227 સીટોવાળા નગરનિગમની શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. 
પણ બહુમતથી ખૂબ પાછળ રહેશે. 
 
પોલ મુજબ શિવસેના 86-92 સીટ જીતી શકે છે. અગાઉની ચૂંટણીમાં શિવસેનાને 75 સીટો મળી હતી. આવામાં શિવસેનાને એકલા લડવાનો કોઈ ખાસ ફાયદો દેખાય રહ્યો નથી. તેઓ બીજી બાજુ બીજેપી શિવસેના વચ્ચે કાંટાની ટક્કર દેખાય રહી છે. બીજેપી 80થી 88 સીટો પોતાના નામે કરી શકે છે.  અગાઉ બીજેપી પાસે 31 સીટ જીતવામાં સફળ રહી હતી.  મતલબ બીજેપી પોતાનો આંકડો ડબલથી વધુ કરવામાં સફળ થઈ શકે છે.  કોંગ્રેસ 30-14 સીટ જીતી શકે છે.  એમએનએસ 5-7 સીટો જીતી શકે છે.  તો બીજી બાજુ એનસીપી 3-6 સીટ જીતી શકે છે.  જો વોટ શેયરની વાત કરીએ તો બીજેપી અને શિવસેનાને 32-32 ટકા વોટ મળી શકે છે. બીજી બાજુ કોંગ્રેસ 16 વોટ અને એમએનએસ 8 ટકા વોટ પોતાને નામે પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત બીજેપી રાજ્યના બીજા નગર નિગમમાં પોતાનો દબદબો વધારી શકે છે.  એક્ઝિટ પોલ મુજબ રાજ્યના બીજા બે મોટા શહેર નાગપુર અને પુણેમાં બીજેપી બહુમત પ્રાપ્ત કરી શકે છે.  તો શિવસેના ઠાણેમાં બહુમત પ્રાપ્ત કરી શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

આગળનો લેખ
Show comments