Webdunia - Bharat's app for daily news and videos

Install App

મે તારી કિમંતી વસ્તુ જ તારીથી છીનવી લીધી, પરિણિત પ્રેમીના પુત્રનુ Murder કરીને ફરી રહેલી ખૂની યુવતીની ધરપકડ

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2023 (17:49 IST)
divyansh murder case
 નવી દિલ્હીના ઈન્દ્રપુરી વિસ્તારમાં દિવ્યાંશ ઉર્ફે બિટ્ટુ મર્ડર કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. 11 વર્ષના દિવ્યાંશની હત્યાની આરોપી પૂજાએ નિર્ભયતાથી દિવ્યાંશના પિતા એટલે કે તેના બોયફ્રેન્ડ જિતેન્દ્રને એક માસૂમ બાળકની હત્યા કર્યા બાદ ફોન કર્યો અને કહ્યું- "મેં તારી સૌથી કિંમતી વસ્તુ છીનવી લીધી છે.."
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રપુરી વિસ્તારમાં 11 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ તેને ઘરમાં જ બેડની અંદર છુપાવી દેવામાં આવ્યો હતો. લગભગ 300 CCTV કેમેરા અને 3 દિવસની મહેનત બાદ હત્યારા છોકરી પૂજાની ધરપકડ કરવામાં આવી.
 
પૂછપરછ દરમિયાન આરોપી પૂજાએ પોલીસની સામે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે દિવ્યાંશના પિતા જીતેન્દ્રની બેવફાઈથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું હતું. વાસ્તવમાં આરોપી પૂજા 2019થી પરિણીત પ્રેમી જિતેન્દ્ર સાથે લિવ-ઈનમાં રહેતી હતી. જિતેન્દ્રએ તેની પત્નીને છૂટાછેડા આપીને પૂજા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ જીતેન્દ્રએ વર્ષ 2022માં પૂજાને છોડી દીધી હતી અને તેની પત્ની અને પુત્ર દિવ્યાંશ સાથે રહેવા પાછો ગયો હતો.
 
જોકે પૂજા કુમારી દાવો કરે છે કે જીતેન્દ્રએ 17 ઓક્ટોબર, 2019ના રોજ આર્ય સમાજના મંદિરમાં લગ્ન કર્યા હતા, પરંતુ જો જીતેન્દ્ર છૂટાછેડા ન આપે તો કોર્ટ મેરેજ શક્ય નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર જિતેન્દ્રએ પૂજા કુમારીને ખાતરી આપી હતી કે તે તેની પત્નીને છૂટાછેડા આપ્યા બાદ કોર્ટમાં તેની સાથે લગ્ન કરશે. પરંતુ જિતેન્દ્ર તેના પુત્ર દિવ્યાંશને કારણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે છે. જેના કારણે પૂજા દિવ્યાંશને તેના રસ્તાનો કાંટો સમજતી હતી. અને એક દિવસ એક મિત્રની મદદથી તેણીએ જીતેન્દ્રના ઘરનું સરનામું પૂછ્યું અને ત્યાં પહોંચતા જ દિવ્યાંશને ઘરમાં એકલો જોઈને તેણે તેના ઘોર પ્લાનને અંજામ આપતા માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાખી. અને મૃતદેહને એ જ પલંગમાં સંતાડીને ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી પૂજાની ઓળખ કરી હતી અને હત્યાના ત્રણ દિવસ બાદ તેની ધરપકડ કરી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments