Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bharat Bandh- આવતી કાલે દેશભરમાં ખેડૂતોનુ ભારત બંધ, જાણો શુ રહેશે ખુલ્લુ અને શુ રહેશે બંધ

Webdunia
રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (17:10 IST)
Bharat Bandh ALERT!  આખા દેશમાં એકવાર ફરી ખેડૂતોનું ભારત બંધ થવા જઈ રહ્યું છે. 27 સપ્ટેમ્બરે દેશભરના ખેડૂતોએ ભારત બંધ કરવાનુ એલાન કર્યુ છે.  ખેડૂતોનુ આ ભારત બંધ નવા કૃષિ કાયદાના વિરોધમાં છે. ત્રણેય નવા કૃષિ કાયદાઓ પસાર થયાને એક વર્ષ થઈ ગયું છે. ખેડૂતો લગભગ એક વર્ષથી દિલ્હી સાથેની સરહદો પર આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની સરહદો પર ધામા નાખ્યા છે. તે જ સમયે, દેશના જુદા જુદા રાજ્યોમાં ખેડૂતો વિવિધ સ્થળોએ વિરોધ કરી રહ્યા છે
 
સંયુક્ત કિસાન મોરચાએ 27 સપ્ટેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા ઉપરાંત અન્ય ઘણા ખેડૂત સંગઠનો પણ ભાગ લેશે. ખેડૂત સંગઠને કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે
 
કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી રહેશે ભારત બંધ  ? 
 
27 સપ્ટેમ્બરે ભારત બંધ સવારે 6 વાગ્યે શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ઘણા પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, બજારો, દુકાનો, ફેક્ટરીઓ, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા દેવામાં આવશે નહીં. ભારતબંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસ સહિતની ઇમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવશે.
 
આ રહેશે બંધ 
 
- કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ઓફિસ અને સંસ્થાઓ.
 
- બજારો, દુકાનો અને ઉદ્યોગો - શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ.
 
- તમામ પ્રકારના જાહેર પરિવહન અને ખાનગી વાહનો.
 
- કોઈપણ પ્રકારનો સરકારી કે બિનસરકારી જાહેર કાર્યક્રમ.
 
આમને મળશે છૂટ 
 
- હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, એમ્બ્યુલન્સ અને કોઈપણ મેડિકલ સેવાઓ.
 
- કોઈપણ પ્રકારની સાર્વજનિક (ફાયર બ્રિગેડ, આપત્તિ રાહત વગેરે) અથવા વ્યક્તિગત ઈમરજેંસી (મૃત્યુ, માંદગી, લગ્ન વગેરે).
 
- સ્થાનિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી કોઈપણ છૂટ.
 
સંયુક્ત કિસાન મોરચાની માર્ગદર્શિકા
 
સંયુક્ત કિસાન મોરચાએ પોતાના કાર્યકર્તાઓ માટે કેટલીક ગાઈડલાઈન રજુ કરી છે. મોરચાએ કહ્યું છે કે બંધ દરમિયાન લોકોને સ્વેચ્છાએ બધું બંધ કરવાની અપીલ કરવી જોઈએ. કોઈપણ પ્રકારની જબરદસ્તી ન કરો. આ આંદોલનમાં કોઈ હિંસા કે તોડફોડ ન થવી જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બંધ સરકાર વિરુદ્ધ છે, લોકો વિરુદ્ધ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પોપટને શોધનારને 10 હજારનું ઈનામ, અયોધ્યામાં પોસ્ટર જોઈને બધા આશ્ચર્યચકિત

500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, વૃદ્ધોને 6 હજાર રૂપિયાનું પેન્શન, 2 લાખ સરકારી નોકરી... હરિયાણામાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

આગળનો લેખ
Show comments