Webdunia - Bharat's app for daily news and videos

Install App

RSS પ્રમુખ ભાગવતનુ ચોંકાવનારુ નિવેદન, બોલ્યા "આઝાદીમાં કોંગ્રેસનુ મોટુ યોગદાન"

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (09:42 IST)
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં સંઘના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના વખાણ કરી સૌને ચોંકાવી દીધા. ભવિષ્યનુ ભારતના નામથી આરએસએસના ક્રાર્યક્રમનો આજે બીજો દિવસ છે. આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રોની જાણીતી હસ્તિયો સામેલ થઈ રહી છે. પહેલા દિવસે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે તેઓ તિરંગાનુ સમ્માન કરે છે. પણ તેમના ગુરૂ ભગવા ધ્વજ છે. ભાગવતે કહ્યુ કે આરએસએસનો ઈરાદો દેશમાં દબદબો કાયમ રાખવાનો નથી. 
 
ત્રિંરંગાનું સમ્માન પણ ભગવા અમારો ગુરૂ 
 
ભાગવતે કહ્યુ સંઘ હંમેશા તિરંગાનુ સમ્માન કરે છે, સ્વતંત્રતા સંગામ સાથે જોડાયેલ દરેક નિશાનીઓથી દરેક સ્વયંસેવક દિલથી જોડાયેલ છે પણ ભગવા ધ્વજને અમે અમારો ગુરૂ માનીએ છીએ. દર વર્ષે આ જ ધ્વજ સામે અમે ગુરૂ દક્ષિણા કાર્યક્રમનુ આયોજન કરીએ છીએ.  તેમણે એ પણ કહ્યુ એક અમે આ દેશમાં સંઘનો દબદબો રહે એવી ઈચ્છા નથી રાખતા. 
 
કોંગ્રેસના વખાણ કરી સૌને ચોકાવ્યા 
 
મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે કોંગ્રેસે સ્વતંત્રતા આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને અનેક મહાપુરુષ આપ્યા હતા. સંઘ પ્રમુખે ત્રણ દિવસીય કાર્યક્રમના બીજા દિવસે ભાષણ આપ્યું હતું. આરએસએસનો દિલ્હીમાં ત્રણ દિવસીય કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારત: RSS દ્રષ્ટિકોણ’ચાલી રહ્યો છે. સંઘના આ કાર્યક્રમમાં બોલીવુડની ઘણી હસ્તીઓ સહિત અલગ-અલગ ક્ષેત્રોની હસ્તીઓ હાજર રહી હતી.
 
મોહન ભાગવતે કહ્યું હતું કે સંઘનો કાર્યકર્તા પ્રચાર વગર પણ કોઈના કોઈ કામમાં લાગ્યો રહે છે. આરએસએસના લોકો લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે આમ છતા કેટલાક લોકો સંઘને નિશાન બનાવે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે કોંગ્રેસે આઝાદીના આંદોલનમાં મોટી ભુમિકા નિભાવી હતી અને ભારતને ઘણા મહાન લોકો આપ્યા છે. સંઘ પ્રમુખે હેડગેવરને યાદ કરતા કહ્યું હતું કે તે કોંગ્રેસના સભ્ય હતા અને વિદર્ભ ક્ષેત્રના મોટા નેતા હતા. તેમણે અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments