Webdunia - Bharat's app for daily news and videos

Install App

બહરાઇચ હિંસા- શહેર બાદ હવે ગામડાઓમાં હાલાકી, ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2024 (17:03 IST)
બહરાઈચના મહારાજગંજ વિસ્તારનું આકાશ ધુમાડાથી ઢંકાયેલું છે. રવિવાર રાતથી સમગ્ર વિસ્તારમાં આગ લાગી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. હજુ પણ ઘણા ઘરોની બહાર વાહનો સળગી રહ્યા છે.
 
રવિવારે બહરાઇચે મહસી વિસ્તારમાં દુર્ગાપૂજા દરમિયાન મૂર્તિના વિસર્જન દરમિયાન બે જૂથો આમને-સામને આવી ગયાં.
 
રિપોર્ટો અનુસાર વિસર્જનયાત્રામાં સામેલ ભીડ ધાર્મિકસ્થળની પાસે ડીજે વગાડી રહી હતી. ત્યાં જ વિવાદ શરૂ થયો અને હિંસા તથા આગજની થઈ. આ હિંસામાં ગોપાલ મિશ્રનું મૃત્યુ થયું.
 
સોમવારે સવારે ગોપાલ મિશ્રાના અંતિમસંસ્કારમાં સામેલ ભીડ બેકાબૂ થઈ અને ઘણી જગ્યાએ દુકાનો અને મકાનોને આગ લગાડી.
 
બહરાઈચમાં વધી રહેલા હંગામાને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG કાયદો અને વ્યવસ્થા અને STF ચીફ અમિતાભ યશને ઘટના સ્થળે જવાનો આદેશ આપ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આ પહેલા રવિવારે સીએમ યોગીએ કહ્યું હતું કે તોફાનીઓને બક્ષવામાં આવશે નહીં.
 
હિંસા વચ્ચે બહરાઈચના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મહસી, મહારાજગંજ વગેરે વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં ન આવે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

આગળનો લેખ
Show comments