Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવે લોંચ કરી કોરોનાની દવા, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને નિતિન ગડકરી પણ રહ્યા હાજર

Webdunia
શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (11:22 IST)
યોગ ગુરુ રામદેવે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના વાયરસની દવા શરૂ કરી છે. રામદેવની આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન અને કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર હતા. રામદેવે કહ્યું છે કે પતંજલિની કોરોનિલ ટેબ્લેટ હવે કોવિડનો ઇલાજ કરશે. તેમણે દાવો કર્યો હતો કે આયુષ મંત્રાલયે કારોનિલ ટેબ્લેટને કોરોના દવા તરીકે સ્વીકારી છે. આ સિવાય તેમણે પતંજલિની આ દવાના રિસર્ચ પેપર પણ બહાર પાડ્યા
 
બાબા રામદેવે કહ્યું, 'જ્યારે અમે કોરોનિલ દ્વારા લાખો લોકોને જીવન આપવાનું કામ કર્યું, ત્યારે ઘણા લોકોએ સવાલો ઉભા કર્યા. કેટલાક લોકોને લાગે છે કે રિસર્ચ  કાર્ય ફક્ત વિદેશમાં જ થઈ શકે છે. આયુર્વેદના રિસર્ચ પર વધુ શંકા કરવામાં આવે છે. પતંજલિની દવા કોરોનિલ પર જે પણ શંકા ઉપજાવાઈ  રહી હતી, તે અંગે હવે શંકાના વાદળો દૂર થઈ ગયા છે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી  હર્ષ વર્ધનએ કહ્યું કે આયુર્વેદ અને બાબા રામદેવની પ્રામાણિકતા અંગે કોઈ શંકા ન હોવી જોઈએ. બાબા રામદેવનું સ્વપ્ન એ ભારત સરકારનું સ્વપ્ન છે.
 
ગયા વર્ષે પણ કોરોનિલ ડ્રગની શરૂઆત કરવામાં આવી હતી
 
 
અગાઉ, પતંજલિ આયુર્વેદે 23 જૂન 2020 ના રોજ કોરોનિલ ગોળીઓ અને સ્વસરી વટી દવા શરૂ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દવા સાત દિવસની અંદર કોવિડ -19 નો ઇલાજ કરી શકે છે. જો કે, દવા શરૂ થતાંની સાથે જ આયુષ મંત્રાલયે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી. આ પછી, મંત્રાલયે પતંજલિને ડ્રગની જાહેરાત કરતા પણ રોકી દીધી હતી.
 
પતંજલિએ દાવો કર્યો હતો કે એક લાઈફ સપોર્ટ સિસ્ટમ સિવાય બે આયુર્વેદ આધારિત દવાઓએએ કોવિડ-19 દર્દીઓ પર ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન 100 ટકા અનુકૂળ પરિણામ બતાવ્યા છે.  જો કે આયુષ મંત્રાલયે પતંજલિને કોરોનિલ વેચવાની મંજુરી આપી દીધી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments