Webdunia - Bharat's app for daily news and videos

Install App

મસ્જિદમાં નમાજ ઈસ્લામનુ અભિન્ન અંગ છે કે નહી, સુપ્રીમ કોર્ટનો આજે નિર્ણય

Webdunia
ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (10:44 IST)
રામ જન્મ ભૂમિ - બાબરી મસ્જિદ માલિકાના હક વિવાદ પર ઉચ્ચતમ ન્યાયાલયના 1994 નિર્ણય પર મોટી પીઠ દ્વારા પુનર્વિચાર કરવાની માંગ કરનારી મુસ્લિમ સમૂહની અરજીઓ પર આજે ગુરૂવારે હાઈકોર્ટ પોતાનો નિર્ણય સંભળાવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે એ નિર્ણયમાં કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાજ ઈસ્લામનુ અભિન્ન ભાગ નથી. 
 
ન્યૂઝ એજંસી મુજબ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરની પીઠ પર પોતાનો નિર્ણય સંભળાવશે. પીઠે 20 જુલાઈના રોજ તેને સુરક્ષિત રાખી લીધો હતો. અયોધ્યા મામલે એક મૂળવાદી એમ સિદ્દીકે એમ ઈસ્લાઈલ ફારૂકીના મામલે 1994ના નિર્ણયમાં આ ખાસ નિષ્કર્ષ પર વાંધો ઉઠાવ્યો હતો. જેના હેઠળ કહેવામાં આવ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામના અનુયાયિયો દ્વારા અદા કરવામાં આવનારી નમાજનો અભિન્ન અંગ નથી. સિદ્દીકનુ મૃત્યુ થઈ ચુક્યુ છે અને તેનુ પ્રતિનિધિત્વ તેના કાયદાકીય વારસદાર કરી રહ્યા છે. મુસ્લિમ સમુહોએ એ પ્રધાન ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ આ દલીલ આપી છે કે આ નિર્ણયમાં હાઈકોર્ટના અવલોકન પર પાંચ સભ્યોની પીઠ દ્વારા પુનર્વિચાર કરવાની જરૂર છે.  કારણ કે તેની  બાબરી મસ્જિદ - રામ મંદિર, ભૂમિ વિવાદ મામલે અસર પડશે. 
 
વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવને સિદ્દીકના કાયદાકીય પ્રતિનિધિ તરફથી રજુ થતા કહ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામનુ અભિન્ન અંગ નથી. આ ટિપ્પણી હાઈકોર્ટે કોઈપણ જાતની તપાસ વગર કે ધાર્મિક પુસ્તકો પર વિચાર કર્યા વગર કરી.  ઉત્તર પ્રદેશ સરકારે ટોચ ન્યાયાલયને કહ્યુ હતુ કે કેટલાક મુસ્લિમ સમુહ ઈસ્લામનુ અભિન્ન અંગ મસ્જિદના ન હોવા સંબંધી ટિપ્પણી પર પુનર્વિચાર કરવાની માંગ કરી લાંબા સમયથી લંબિત અયોધ્યા મંદિર-મસ્જિદ ભૂમિ વિવાદ મામલે વિલંબ કરવાની કોશિશ કરી રહ્યા છે. અતિરિક્ત સોલિસીટર જનરલ તુષાર મેહતાએ ઉપ્ર સરકારની તરફથી  રજુ થતા કહ્યુ હતુ કે આ વિવાદ લગભગ એક સદીથી અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments