Webdunia - Bharat's app for daily news and videos

Install App

શમીને ટ્રોલ કરવા પર ભડક્યા ઔવેસી, કહ્યુ - ટીમમાં 11 ખેલાડી, નિશાન ફક્ત મુસ્લિમ પર કેમ ?

Webdunia
સોમવાર, 25 ઑક્ટોબર 2021 (18:11 IST)
પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. શમી સામે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેને પાકિસ્તાની ગણાવવામાં આવ્યો છે. જેના પર ટીમ ઈંડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ પછી અસદુદ્દીન ઓવૈસી પણ ભડકી ઉઠ્યા છે. તેમનુ કહેવુ છે કે  ટીમમાં 11 ખેલાડીઓ છે, તો શા માટે માત્ર મુસ્લિમોને જ ટાર્ગેટ કરવામાં આવે છે ?
 
ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બેટ્સમેનોની સાથે ટીમના બોલરોનું પ્રદર્શન પણ ઘણું નિરાશાજનક રહ્યું હતું. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની પહેલી હાર બાદ સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. શમી સામે ઘણી અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેને પાકિસ્તાની ગણાવવામાં આવ્યો છે.
 
AIMIM ના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના બચાવમાં આવ્યા છે. ઓવૈસીએ કહ્યું છે કે ગઈકાલની મેચ બાદ સોશિયલ મીડિયા પર શમીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ મુસ્લિમો વિરુદ્ધ નફરતને દર્શાવે છે.
 
ઓવૈસીએ એક ટ્વિટમાં કહ્યું, "મોહમ્મદ શમીને ગઈકાલની મેચ માટે સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ મુસ્લિમો વિરુદ્ધ ધર્માંધતા અને નફરત દર્શાવે છે. ક્રિકેટમાં હંમેશા હાર અને જીત તો થતી રહે છે. ટીમમાં 11 ખેલાડી છે પરંતુ માત્ર એક મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર તેની નિંદા કરશે?'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments