Webdunia - Bharat's app for daily news and videos

Install App

તેલંગાનામાં એક વધુ હૉરર કિલિંગ, દલિત સાથે લગ્ન કરતા કાપ્યા પુત્રીના હાથ

Webdunia
ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (13:59 IST)
દલિત જમાઈની નિર્દયતા પૂર્વક હત્યા મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યુ છે તો બીજી બાજુ તેલંગાનામાં આવો જ એક વધુ મામલો સામે આવ્યો છે. ખોટી શાન માટે એક સસરાએ પોતાની પુત્રી અને જમાઈ પર રસ્તા પર જ હુમલો કર્યો. યુવતીનો કસૂર એટલો જ હતો કે તેણે દલિત યુવક સાથે લગ્ન કરી લીધા હતા. 
 
માહિતી મુજબ માધવી(22) અને બી.સંદીપ (22) પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા. જ્યારપછી 12 સપ્ટેમ્બરના રોજ એ બંનેયે લગ્ન કરી લીધા. યુવતીના પિતા મનોહર શેટ્ટી આ લગ્નથી નારાજ હતા. તેમને બહાનાથી પોતાની પુત્રી અને જમાઈને મળવા માટે બોલાવ્યા. આ દરમિયાન શેટ્ટીએ દાંતરડા વડે નવદીપ પર હુમલો કર્યો. જ્યારે માધવીએ તેમને રોકવાની કોશિશ કરી તો તેના પિતાએ તેમના પર પણ હુમલો કર્યો. બંનેની હાલત ગંભીર બતાવાય રહી છે. 
 
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા પિતા પોતાની પુત્રી અને જમાઈ પર હુમલો કરતા દેખાય રહ્યા છે. એસીપી વિજય કુમારે જણાવ્યુ કે શેટ્ટીએ સંદિપને ફોન કર્યો અને કહ્યુ કે તેને પોતાની પુત્રીની ખૂબ યાદ આવી રહી છે.  તેણે એ બંન્નેને એસઆર નગરમાં એક ઓટોમોબાઈલ શોરૂમ પાસે બોલાવ્યા. જ્યા તેમના પર ધારદાર હશિયારથી હુમલો કરવામાં આવ્યો.  પોલીસ મુજબ દંપત્તિએ 12 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યા પછી એસઆર નગર પોલીસ મથક જઈને મદદની માંગણી પણ કરી હતી. હુમલા પછીથી જ આરોપી ફરાર છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments