Webdunia - Bharat's app for daily news and videos

Install App

1984 સિખ રમખાણ - શપથ પહેલા કમલનાથને CM પદ પરથી હટાવવાની માંગ

Webdunia
સોમવાર, 17 ડિસેમ્બર 2018 (13:13 IST)
. અકાલી દળે 1984ના સિખ વિરોધી રમખાણ મામલે કોંગ્રેસ નેતા સજ્જ્ન કુમારને દોષી ઠેરવવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે અને કમલનાથને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવા મામલે કોંગ્રેસના નિર્ણયને સિખ વિરોધી બતાવ્યો છે.  અકાલી દળ અના લોકસભા સભ્ય પ્રેમ સિંહ ચંદૂમાજરાએ સોમવારે હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા અપતા કહ્યુ - કોંગ્રેસ સિખ સમાજને આ જવાબ આપે કે કમલનાથને કેવી રીતે મુખ્યમંત્રી બનાવી દીધા જ્યારે કે તેમના સાથી સિખ રમખાણ મામલે ઉમંરકેદની સજા સંભળાવવામાં આવી છે.  હુ સમજુ છુ કે જો કોંગ્રેસે તેમને મુખ્યમંત્રી પદ પરથી નહી હટાવ્યા તો તેમને સિખ સમાજનો ગુસ્સો વહોરવો પડશે. 
 
અકાલી દળે કર્યુ હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત 
 
સંસદ ભવન પરિસરમાં ચંદૂમાજરાએ કહ્યુ કે તે અકાલીદળ તરફથી સજ્જનકુમાર પર હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત કરે છે. જો કે આ નિર્ણય મોડા આવ્યા પણ સારો આવ્યો છે. તેમણે સિખ રમખાણ મામલે નિર્ણયમાં મોડુ કરવા બદલ કોંગ્રેસને જવાબદાર ઠેરવતા કહ્યુ કે ભલે કોંગેસે સત્તા શક્તિથી આ સત્યને દબાવી રાખ્યુ હોય પણ છેવટે જીત સત્યની જ થાય છે.  ચંદુમાજરાએ સિખ રમખાણ મામલે કોર્ટની પ્રક્રિયામાં તેજી લાવવાનો શ્રેય મોદી સરકારને આપતા કહ્યુ કે સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસદળની ભલામણ પર બંધ કરવામાં આવેલ કેટલાક મહત્વપૂર્ણ મામલાની સુનાવણી ફરીથી શરૂ થવાને કારણે આ મામલે રમખાણ પીડિતોને ન્યાય મળવો શક્ય થયો છે. 
 
સજ્જન કુમારને ઉમરકેદની સજા 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે સોમવારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને 1984ના સિખ વિરોધી રમખાણ મામલે હત્યાનુ ષડયંત્ર રચવના દોષી ઠેરવતા ઉમંરકેદની સજા સંભળાવી. કોર્ટે કુમારને અપરાધિક ષડયંત્ર રચવા, શત્રુતા વધારવા, સાંપ્રદાયિક સદ્દભાવ વિરુદ્ધ કૃત્ય કરવા માટે દોષી ઠેરવ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments