Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંધ્રપ્રદેશમાં રામનવમી ઉત્સવ દુર્ઘટના : 4ના મોત, 70 ઘાયલ

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (10:25 IST)
આંધ્રપ્રદેશના કડપા જીલ્લામાં શુક્રવારે વોંટીમિટ્ટાના ઐતિહાસિક કોડનડૃમા સ્વામી મંદિરમાં રામનવમી ઉત્સવ દરમિયાન પંડાલ પડી જવાથી દુર્ઘટના થઈ. તેમા ચાર લોકોના મોત થઈ ગયા અને 70 લોકો ઘાયલ થઈ ગયા.  ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે રાજ્ય મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ પણ હાજર હતા. 
સૂત્રો મુજબ દુર્ઘટનામાં મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂનો આબાદ બચાવ થયો. તેમને કોઈ નુકશાન થયુ નથી. ચાર લોકોનુ ઘટના સ્થળ પર જ મોત તહી ગયુ.  ઝડપી વાવાઝોડુ અને વરસાદને કારણે મંડપ લોકો પર પડ્યો. સમારંભની શરૂઆતમાં વાવાઝોડુ હોવા છતા લોકો ત્યા હાજર રહેતા તેમના ઉત્સાહના ચંદ્રબાબૂ નાયડૂએ વખાણ કર્યા હતા. તેમણે લોકોને કહ્યુ કે તેઓ પ્રાર્થના કરે કે તેઓ રામરાજ્ય લાવવામાં સફળ રહે.  નાયડૂએ કહુ કે આ ઐતિહાસિક મંદિરના વિકાસ માટે તેને ટીટીડીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 
 
દુર્ઘટનાની સૂચના મળતા જ લોકો રાહત કાર્યમાં લાગી ગયા. ઘટના સ્થળ પર હાજર લોકોનુ કહેવુ છે કે જોરદાર પવન ફુંકાવાથી મંદિરમાં લગાડેલા મંડપ લોકો પર પડતા ભગદડ મચી ગઈ. આ ઉત્સવમાં ભાગ લેવા સીએમ ચંદ્રબાબૂ નાયડૂ પણ પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  વાવાઝોડુ અને વરસાદને કારણે અનેક ઝાડ અને ઈલેક્ટ્રીકલ કેબલ પણ તૂટી પડ્યા, જેને કારણે અનેક લોકો ઘાયલ થઈ ગયા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

આગળનો લેખ
Show comments