Webdunia - Bharat's app for daily news and videos

Install App

10% Reservation Bill લોકસભામાં પાસ, રાજ્યસભામાં આજે થશે અસલી પરીક્ષા..

Webdunia
બુધવાર, 9 જાન્યુઆરી 2019 (10:36 IST)
બધા ધર્મોના સામાન્ય વર્ગના આર્થિક રોપથી કમજોર લોકોને દસ ટકા અનામાત આપવા માટે 124મુ સંવિધાન સંશોધન બીલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયુ. આ પક્ષમં 232 અને વિરોધમાં ફક્ત ત્રણ વોટ પડ્યા. આ સાથે જ લોકસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યુ. બુધવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. 
 
લોકસભામાં બધા દળોનુ વલણ જોઈને ભલે તેનો રસ્તો સરળ લાગે પણ સંખ્યાબળમાં કમજોર હોવાને કારણે સરકાર માટે અસલી પરીક્ષા તેને રાજ્યસભામાંથી પાસ કરવાનુ જ છે. આ બીલ હેઠળ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનો અને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ છે. 
 
આ પહેલા લગભગ 5 કલાક ચાલેલી ચર્ચામાં રાજદ અને એઆઈએમઆઈએમને છોડી બધા દળોએ તેનો પક્ષ લીધો. જો કે અનેક સાંસદોએ તેને લઈને સરકારની નીયત પર સવાલ ઉભા કર્યા. બિલ રજુ કરતા સામાજીક ન્યાયમંત્રી થાવરચંંદ ગહલોતે કહ્યુ, સામાન્ય વર્ગના અનામતને સુપ્રીમ કોર્ટમાં પડકારવો ન પડે એ માટે સરકાર સંવિધાન સંશોધન બીલ લાવી છે. 
 
તેમણે કહ્યુ, સામાન્ય વર્ગના ગરીબોને મુખ્યધારામાં લાવવાની દિશામાં મોદી સરકારે આઝાદી પછી પહેલીવાર ઈમાનદાર પ્રયત્ન કર્યો. લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી. આ પહેલા 21 વાર પ્રાઈવેટ મેંબર બિલથી આવુ અનામત આપવાની માંગ થઈ. 
 
આર્થિક રૂપથી કમજોર પક્ષને સરકારી નોકરીઓ અને અભ્યાસમાં 10 ટકા અનામત આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ બીલને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ બુધવારે સવાલ ઉઠાવી શકે છે.  
 
રાજ્યસભાનુ ગણિત - રાજ્યસભામાં સાંદદોની વર્તમાન સંખ્યા 244 છે. બિલ પાસ કરાવવા માટે બે તૃતીયાંશ વોટ (163)ની જરૂર છે. ભાજપા 73 સહિત રાજ્ગના 98 સાંસદછે. તો બીજી બાજુ બિલનુ સાર્વજનીક સમર્થન કરી ચુકેલી કોંગ્રેસ 50, સપા 13, બસપા અને રાંકાપા 4-4 અને આપના ત્રણ સભ્યો સાથે આંકડો 172 પહોંચી જાય છે. કોઈપણ દળ આ બીલનો વિરોધ કરતુ નથી બતાવવા માંગતુ. તેથી તેને પસાર થવામાં વધુ સમસ્યા જોવા મળતી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

આગળનો લેખ
Show comments