Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મૂ કશ્મીરના પુલવામામાં આતંકી હુમલા 8 જવાન શહીદ

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2017 (09:55 IST)
કશ્મીરના પુલવામા આતંકીઓએ જિલ્લા પોલીસ લાઈન પર હુમલો કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલામાં 8 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જ્યારે CRPFના 4 જવાન સહિત 5 લોકો ધાયલ થયા છે. આ અથડામણમાં બે આતંકીઓ પણ માર્યા ગયા છે. છેલ્લા 12 કલાકથી અથડામણ શરૂ છે. ત્યાં આતંકીઓ હોવાની વાત કહેવામાં આવી રહી છે.
 
ચાર પૈકીના સીઆરપીએફના બે જવાન ઓપરેશનનો અંત આવ્યો ત્યારે આતંકવાદીઓ દ્વારા મુકાયેલા બોંબને નિષ્ક્રિય કરતી વખતે શહીદ થયા હતા. ડીજીપી એસ. પી. વૈદ્યે જણાવ્યું હતું કે, સુરક્ષાદળો માટે આ પીડાદાયક દિવસ હતો, કારણ કે મોટી જાનહાનિ સહન કરવી પડી છે. ૨૦૧૭માં કાશ્મીરમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. પાકિસ્તાનસ્થિત જૈશે મોહમ્મદ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. સુરક્ષાદળોએ પોલીસલાઇન્સમાં રહેતા ૩૬ પરિવારોને સલામત બહાર કાઢી લેવાયા હતા.
 
પુલવામા જિલ્લામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પુલવામામાં ત્રાસવાદીઓ સામેનું એન્કાઉન્ટર રોકવા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો સર્જાતાં ત્રણ લોકો જખ્મી થયાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments