Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ખેડૂતે ખેતરમાં પીળા ગલગોટાની વચ્ચે લાલ ફૂલો દ્વારા ‘મોદી’ લખ્યું

Webdunia
સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:10 IST)
નર્મદા જિલ્લાનાં સમારીયા ગામનાં ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં ફૂલોનું સુંદર વાવેતર કર્યું છે. ખેતરમાં પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓ દ્વારા ‘મોદી’ લખવામાં આવ્યું છે. ખેતરનો આ અદભુત નજારો ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે. આ પહેલા ઉપેન્દ્રસિંહએ પપૈયાની ખેતી કરી હતી, પરંતુ તેમાં યોગ્ય વળતર ના મળતા તેમણે ફૂલોનું વાવેતર કર્યું છે.
ઉપેન્દ્રસિંહે પોતાના એક ખેતરમાં 22 હજાર રૂપિયાનો અને બીજા ખેતરમાં 33 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ગલ ગોટાનું વાવેતર કર્યું છે. તેઓ આ ખેતરમાંથી રોજનાં 20 કિલો ફૂલ મેળવે છે. રોજનાં 7 હજાર રૂપિયાનાં ફૂલો ઉતારે છે અને 4 મહિનામાં તેમને 3 લાખનું વળતર મળ્યું છે. ઉપેન્દ્રસિંહે ખેતરમાં પીળા ગલગોટાની વચ્ચે લાલ ફૂલો દ્વારા ‘મોદી’ લખ્યું છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસવીરનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ઉપેન્દ્રસિંહે જણાવ્યું કે, “મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ઘણો જ આદરભાવ છે.
દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે તે પીએમ મોદીને આભારી છે. 31 ઑક્ટોબરનાં રોજ તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનાં લોકાર્પણ માટે આવી રહ્યા છે તેથી તેમનાં આવ્યા પહેલા ફૂલો તૈયાર થઈ જાય તે રીતે વાવેતર કરવામાં આવ્યું નથી.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments